PM મોદીએ ક્યારેય બદલાની ભાવનાથી નથી કર્યું કામ, રાજનેતા જેવુ વર્તનઃ ગુલામ નબી

પૂર્વ કોંગ્રેસી નેતા અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે PM મોદીને ઉદાર ગણાવતા કહ્યું કે, વિપક્ષના નેતા તરીકે મેં તેમનો ઘણીવાર વિરોધ કર્યો પરંતુ, તેમણે ક્યારેય પણ બદલાની ભાવના નથી રાખી. તેમણે હંમેશાં જ એક રાજનેતા જેવો વ્યવહાર રાખ્યો. ગુલામ નબી આઝાદે કહ્યું, મેં તેમની સાથે જે કર્યું, તેના માટે મારે મોદીને શ્રેય આપવો જોઈએ. તેઓ ખૂબ જ ઉદાર છે. વિપક્ષના નેતાના રૂપમાં મેં ક્યારેય પણ તેમને નથી છોડ્યા, ભલે તે ધારા 370 હોય કે પછી CAA અથવા હિજાબ હોય. તેમણે કહ્યું કે, મેં તેમની ઘણી બિલ યોજનાઓને સંપૂર્ણરીતે ફેલ કરી દીધી પરંતુ, તેમણે ક્યારેય પણ બદલાની ભાવનાથી નહીં પરંતુ, એક રાજનેતા તરીકે જ વ્યવહાર કર્યો. તેમણે તેનો બદલો નથી લીધો અને તેના માટે મારે તેમના વખાણ કરવા જોઈએ.

આ સાથે જ ગુલામ નબી આઝાદે કહ્યું કે, કોંગ્રેસમાં રહેવા દરમિયાન તેમના પર અને G-23 ગ્રુપના નેતાઓ પર BJPના નજીકના હોવાનો આરોપ લાગ્યો હતો. તેમણે કહ્યું કે, આવા આરોપો લગાવનારા લોકો મૂરખ છે. જો G-23 ગ્રુપ BJPના પ્રવક્તા તરીકે કામ કરતું હોત તો શું કોંગ્રેસ પાર્ટી એ નેતાઓને સાંસદ બનાવતે? આખરે તેમને મહાસચિવ, પ્રવક્તા અને પાર્ટીમાં અન્ય પદાધિકારી શા માટે બનાવવામાં આવ્યા? તેમણે કહ્યું કે, ગ્રુપમાં સામેલ નેતાઓમાંથી માત્ર હું જ એકલો છું, જેણે પોતાની પાર્ટી બનાવી અને બાકીના નેતા ત્યાં જ છે. આથી, આ પ્રકારના આરોપ ખૂબ જ દુર્ભાવનાપૂર્ણ, અપરિપક્વ અને બાલિશ છે.

ગુલામ નબી આઝાદે ગત વર્ષે જ કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો અને જમ્મૂ-કાશ્મીરમાં પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીનું ગઠન કરી લીધુ હતું. તેમણે પાર્ટી છોડવા દરમિયાન કોંગ્રેસની દુર્ગતિ માટે રાહુલ ગાંધીને જવાબદાર ગણાવ્યા હતા. આઝાદે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ 2013માં જે અધ્યાદેશ ફાડ્યો હતો, તેના કારણે તેમની છબિ ખરાબ થઈ હતી. કોંગ્રેસમાં ચાપલૂસોને મહત્ત્વ મળવા અને જૂના લોકોને સાઇડમાં કરવાનો આરોપ પણ ગુલામ નબી આઝાદે લગાવ્યો હતો. તેમણે સોનિયા ગાંધીના નામ પર લખેલા પોતાના રાજીનામા પત્રમાં આ તમામ આરોપો લગાવ્યા હતા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.