જનતા કોંગ્રેસને વોટ આપવા માગે છે, પણ સંગઠનની નબળાઇથી એમ કરી શકતી નથી: દિગ્વિજય

મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના થોડા જ મહિના અગાઉ કોંગ્રેસના મોટા નેતા દિગ્વિજય સિંહે પાર્ટીના હાઇકમાનને અરીસો દેખાડ્યો છે. દિગ્વિજય સિંહે સૂચનો આપ્યા છે કે કોંગ્રેસનું સંગઠન નબળું છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું કે, એ તો એ પોલિંગના દિવસે પણ કોંગ્રેસનું ઇલેક્શન મેનેજમેન્ટ નબળું રહે છે. મધ્ય પ્રદેશના સિહોરમાં પત્રકારો સાથે વાતચીત કરતા દિગ્વિજય સિંહે કહ્યું કે, અમને એ સ્વીકારવામાં જરાય સંકોચ નથી કે અમારી કોંગ્રેસ પાર્ટીનું જેવું સંગઠન હોવું જોઈએ, એવું નથી.

તેમણે આગળ કહ્યું કે, એમ પણ માનવામાં સંકોચ ન હોવો જોઈએ કે આપણાં મતદાનના દિવસે અમારા પોલિંગ મેનેજમેન્ટની પણ ભારે કમી રહે છે. જે પ્રકારની તૈયારીઓ હોવી જોઈએ, એ પ્રકારની તૈયારી હોતી નથી. કોંગ્રેસના ઇલેક્શન મેનેજમેન્ટની કમીઓ ગણાવતા દિગ્વિજય સિંહે કહ્યું કે, જનતા અમને વોટ આપવા માગે છે, પરંતુ અમારા સંગઠનની નબળાઇના કારણે તે એમ કરી શકતી નથી. જો કે, કોંગ્રેસ નેતાએ એ સ્પષ્ટ ન કર્યું કે આ કમીઓ કયા પ્રકારની છે.

થોડા જ મહિનામાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. દિગ્વિજય સિંહ એ સીટો પર સતત પ્રવાસ કરી રહ્યા છે, જ્યાં પાર્ટી વર્ષ 2018ની વિધાનસભાની ચૂંટણી હારી ગઈ હતી અને એ સીટો પર પાર્ટીની દાવેદારીને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસે એવી 66 સીટોની લિસ્ટ બનાવી છે. એ સિલસિલામાં દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશના સિહોર જિલ્લામાં પહોંચ્યા હતા અને પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

દિગ્વિજય સિંહે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના વખાણ કરતા કહ્યું કે, તેમણે ખૂબ જ સારી રીતે આખા રાજ્યની વિધાનસભા સીટોને સેક્ટર અને મંડળોમાં વહેંચી છે. એક મંડળમાં 10-15 પોલિંગ બૂથ આવશે, જ્યારે એક સેક્ટરમાં 3-5 પોલિંગ બૂથ હશે. એવી જ વિધાનસભા ક્ષેત્રની હારેલી સીટો પર રાજ્યનો પ્રવાસ કરીને રિપોર્ટ તૈયાર કરીને કમલનાથને સોંપવામાં આવશે. ત્યારબાદ નવી રણનીતિ બનાવવામાં આવશે.

મીડિયાના સવાનાનો જવાબ આપતા દિગ્વિજય સિંહે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં વર્ષ 2018માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બની ગઈ હતી, પરંતુ કેટલાક લોકો વેચાઈ ગયા. જે ગરીબ ધારાસભ્ય હતા તે ન વેચાયા, પરંતુ જે મહારાજા ટાઇપ હતા તેઓ વેચાઈ ગઈ, જેના કરણે સરકારી જતી રહી. જો કોંગ્રેસ પાર્ટીના બધા લોકો એકજૂથ હોત તો ખેડૂતોનું દેવું માફ થઈ જતું. વીજળીની દરો પણ ન વધતી. આ વખત ફરી જનતા પરિવર્તન માગે છે. આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર મધ્ય પ્રદેશમાં બનશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.