પૂર્વ કેન્દ્રીયમંત્રી શરદ યાદવનું 75 વર્ષની વયે નિધન

જનતા દળ યુનાઇટેડ (JDU)ના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન થઇ ગયું છે. તેમની દીકરીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. 75 વર્ષની ઉંમરમાં શરદ યાદવે છેલ્લા શ્વાસ લીધા છે. બિહારની રાજનીતિમાં પોતાની અલગ ઓળખ રાખનારા શરદ યાદવના આમ અચાનક જતા રહેવાથી બધા દુઃખી છે. તેમની સમાજવાદવાળી રાજનીતિએ તેમને જનતા વચ્ચે લોકપ્રિય બનાવ્યા હતા. ગુરુગ્રામની ફોર્ટિસ હૉસ્પિટલમાં તેમનું નિધન થયું છે. તેમનો પાર્થિવ દેહ એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલથી આવાસ પહોંચી ગયો છે.

આજે આખો દિવસ પાર્થિવ દેહ છતરપુરમાં સ્થિત 5 વેસ્ટર્ન (DLF) આવાસ પર દર્શન માટે રાખવામાં આવશે. શરદ યાદવની દીકરી સુભાષીનીએ ટ્વીટર પર પોતાના પિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘પપ્પા નથી રહ્યા.’

ફોર્ટિસ હૉસ્પિટલે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે, ‘શરદ યાદવને બેહોશીની હાલતમાં હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમનામાં કોઇ પલ્સ નહોતી. પ્રોટોકોલ હેઠળ તેમને CPR આપવામાં આવ્યું હતું. તમામ પ્રયત્નો છતા પણ તેમને બચાવી શકાય નહીં. રાત્રે 10:19 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા. તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદનાઓ છે.’

આ સમાજવાદી નેતાના નિધનથી રાજનૈતિક ગલિયારાઓમાં શોકની લહેર છે. વડાપ્રધાન ના મોદીએ કહ્યું કે, ‘શરદ યાદવજીના જવાથી દુઃખ થયું. એક લાંબા રાજનૈતિક જીવનમાં તેમણે સાંસદ અને મંત્રી તરીકે એક અલગ ઓળખ બનાવી. લોહિયાના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. હું તેમની સાથે કરેલી દરેક વાતચીતને યાદ રાખીશ. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ.’

લોક સભાના સાંસદ ઓમ બિરલાએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘શરદ યાદવ વિલક્ષણ પ્રતિભાવાળા મહાન સમાજવાદી નેતા હતા. તેમણે વંચિતો શોષિતોના દર્દને દૂર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમનું નિધન સમાજવાદી આંદોલન માટે મોટી ક્ષતિ છે. પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ.’

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, ‘પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવજીનું નિધન દુઃખદ. શરદ યાદવજી સાથે મારો ગાઢ સંબંધ હતો. હું તેમના નિધનના સમાચારથી સ્તબ્ધ અને દુઃખી છું. તેઓ એક પ્રખર સમાજવાદી નેતા હતા. તેમના નિધનથી સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાંઆ અપૂરણીય ક્ષતિ થઇ છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે, ‘મંડળ મસીહા. RJDના વરિષ્ઠ નેતા, મહાન સમાજવાદી નેતા મારા વાલી શરદ યાદવના અકાળે નિધનના સમાચારથી દુઃખી છું. કંઇ કહી શકવામાં અસમર્થ છું. માતાજી અને ભાઇ શાંતનુ સાથે વાતચીત થઇ. દુઃખના આ સમયમાં સંપૂર્ણ સમાજવાદી પરિવાર, પરિવારજનો સાથે છે. એ સિવાય અન્ય નેતાઓ પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

About The Author

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.