શું પાકિસ્તાનમાં ફરી તખ્તો પલટાશે? મરિયમ શરીફે PM કાકા સામે ખોલ્યો મોર્ચો

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારનો તખ્તો પલટાયાને હજુ માંડ સવા વર્ષ પુરુ થયું છે ત્યાં ફરી એકવાર સરકાર બદલાવવાના એંધાણ મળી રહ્યા છે. નવાઝ શરીફની પુત્રી મરિયમ શરીફે પોતાના જ કાકા સામે મોર્ચો ખોલી દીધો છે.

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ફરી એકવાર સરકાર ઉથલી પડવાની શક્યતાઓ છે. શરીફ પરિવારમાં મોટી તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. શરીફ પરિવારની સત્તાધારી પાર્ટી PML(N)માં વિભાજન ફરી એકવાર દેશમાં રાજકીય સંકટ સર્જી શકે છે. પાકિસ્તાનનાપૂર્વ PM નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે પોતાના જ કાકા વડાપ્રધાન શાહબાઝ શરીફ વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે.

પાકિસ્તાનમાં માઝા મુકી રહેલી મોંઘવારીને કારણે શહબાઝ શરીફની સામે પોતાની જ સરકાર બચાવવાનો એક મોટો પડકાર ઉભો થયો છે. નવાઝ શરીફની પુત્રી મરિયમે હાલની સરકારથી પોતાને અલગ કરવાની જાહેરાત કરી છે. મરિયમે કહ્યુ કે હાલની સરકાર PML(N)ની નથી. તેમણે કહ્યુ કે અમારી સરકાર તો ત્યારે બનશે જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનમાં હશે.

PML(N)માં આંતરિક ચર્ચા ચાલી રહી છે કે શહબાજ શરીફની જગ્યાએ મરિયમ નવાઝ શરીફ પોતે પાકિસ્તાનની પ્રધાનમંત્રી બનવા માંગે છે.

પાકિસ્તાન મીડિયામાં એક મોટી ચર્ચા છે કે નવાઝ શરીફના જમાઈ એટલે કે મરિયમના પતિ કેપ્ટન (આર) મોહમ્મદ. સફદર પાર્ટીમાં વાતાવરણ બનાવી રહ્યા છે. સફદર શાહબાઝ શરીફને બદલીને તેમની પત્ની મરિયમને પાકિસ્તાનના વડા પ્રધાન બનાવવાનું અભિયાન ચલાવી રહ્યો છે.

મરિયમની પાર્ટીમાં  અત્યારે ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ પહેલા મરિયમ નવાઝ પોતાના જ પતિ સામે અડી ગઇ હતી. મરિયમે પોતાના પતિ રિટાયર્ડ કેપ્ટન મોહમંદ સફદર પર પાર્ટી વિરોધી નિવેદન આપવાનો આરોપ લગાવ્યો હતો.

મરિયમ નવાઝે પોતાના પતિ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ પાર્ટીની  પ્રતિષ્ઠાને ખરાબ કરી રહ્યા છે. મરિયમે કહ્યું હતું કે, "પાર્ટીકા 'વોટ કો ઇઝ્ઝત દો' નેરેટીવ પહેલા ખૂબ જ મજબૂત હતું. પરંતુ જે દિવસે પાર્ટીએ પૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના કાર્યકાળને લંબાવવાની તરફેણમાં વોટિંગ કર્યું, તે જ દિવસે તેણે આ નેરેટીવના બેઇજ્જતી કરી હતી.

વર્ષ 2022માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને ઉથલાવીને નવી સરકાર બની હતી, પરંતુ ત્યારથી પાકિસ્તાનની સ્થિતિ વધારે વણસી રહી છે. મરિયમે હવે પોતાના પ્રધાનમંત્રી કાકા સામે મોર્ચો ખોલ્યો છે એટલે આગામી દિવસોમાં કોઇ નવાજૂની ચોક્કસ સામે આવશે.

 

 

 

 

 

 

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.