સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર, ગ્રેજ્યુઈટી મામલે રાજ્ય સરકારે કરી આ મોટી જાહેરાત

હવે ગુજરાત સરકારના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓને અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની ગ્રેજ્યુઇટી મળતી હતી. અલગ-અલગ કોર્પોરેશન, નિગમ અને બોર્ડના કર્મચારીઓની ગ્રેજ્યુઇટીની રકમ મામલે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સરકારી કર્મચારીઓને 10 લાખના બદલે 20 લાખ સુધીની મર્યાદામાં ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે.

આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે કર્મચારીઓને ગ્રેજ્યુઇટી મેળવવા પાત્ર છે, તે તમામ કર્મચારીઓને જે ગ્રેજ્યુઇટી આપવામાં આવે છે. તેની મર્યાદા 10 લાખ સુધીની હતી. ભારત સરકારના માર્ગદર્શન પ્રમાણે તેમજ ધોરણો પ્રમાણે ગુજરાત સરકારે 29-3-2018ના રોજ નિર્ણય કર્યો હતો કે, ગુજરાત સરકારના કર્મચારીઓને 10 લાખના બદલે 20 લાખ સુધીની મર્યાદામાં ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે. ગુજરાત સરકારના બોર્ડ-નિગમો, કોર્પોરેશનો અને અન્ય સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ અને મારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, અમારી ગ્રેજ્યુઇટીની મર્યાદામાં પણ સરકાર વધારો કરી આપે.

 

Posted by Nitin Patel on Wednesday, 14 August 2019

જેના આધારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુજરાત સરકારના નિગમ, બોર્ડ અને કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીઓને પણ હવે 10 લાખ રૂપિયાની માર્યાદામાં ગ્રેજ્યુઇટી મળતી હતી તેના બદલે ગુજરાત સરકારના બધા કર્મચારીઓના ધોરણ પ્રમાણે તેમને પણ 20 લાખ રૂપિયાની ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે અને જેમ-જેમ જે બોર્ડ, નિગમ કે કોર્પોરેશનની ફાઈલ નાણા વિભાગ સમક્ષ આવતી જશે આ મંજૂરી મેળવવા માટે એ પ્રમાણે રાજ્ય સરકાર મંજૂરી આપશે. તાજેતરમાં જ અમે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એટલે કે, GIDCના જેડાના નિગમોની દરખાસ્ત આવી હતી તેને મંજૂરી આપી હતી અને હવે બાકીના નિગમો પણ સરકારમાં દરખાસ્ત કરશે તો નાણા વિભાગ તેની ચકાસણી કરીને મંજૂરી આપશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ:04-07-2026 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ વ્યવાસાયિક ક્ષેત્રે વૃદ્વિ કરાવવાવાળો રહેશે, ધન લાભ થશે, સંબંધોને લઇને થોડા-થોડા પરેશાન રહેશો, સ્વાસ્થ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

RBIએ ક્રિપ્ટોકરન્સીને ભારત માટે ખતરો ગણાવ્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (...
Business 
RBIએ ક્રિપ્ટોકરન્સીને ભારત માટે ખતરો ગણાવ્યો

અન્ના હજારે ભૂખ હડતાળ બેસે એ પહેલા જ RTI અંગેના નવા નિયમો CM ફડણવીસે પાછા ખેંચ્યા

મહારાષ્ટ્ર સરકારે વિવાદાસ્પદ માહિતી અધિકાર (RTI) નિયમોના અમલીકરણને અસ્થાયી રૂપે અટકાવી દીધું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશો બાદ રાજ્યના...
Politics 
અન્ના હજારે ભૂખ હડતાળ બેસે એ પહેલા જ RTI અંગેના નવા નિયમો CM ફડણવીસે પાછા ખેંચ્યા

ગુજરાત સરકારના ખેડૂતો માટે મોટા નિર્ણયો: વીજ થાંભલા વળતરમાં વધારો, બજાર ભાવના બમણા દરે મળશે રકમ

રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઇટેન્શન લાઇનના વળતર અંગેની માંગણીઓનો સુખદ અંત આણતા એક...
Gujarat 
ગુજરાત સરકારના ખેડૂતો માટે મોટા નિર્ણયો: વીજ થાંભલા વળતરમાં વધારો, બજાર ભાવના બમણા દરે મળશે રકમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.