સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર, ગ્રેજ્યુઈટી મામલે રાજ્ય સરકારે કરી આ મોટી જાહેરાત

હવે ગુજરાત સરકારના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓને અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની ગ્રેજ્યુઇટી મળતી હતી. અલગ-અલગ કોર્પોરેશન, નિગમ અને બોર્ડના કર્મચારીઓની ગ્રેજ્યુઇટીની રકમ મામલે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સરકારી કર્મચારીઓને 10 લાખના બદલે 20 લાખ સુધીની મર્યાદામાં ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે.

આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે કર્મચારીઓને ગ્રેજ્યુઇટી મેળવવા પાત્ર છે, તે તમામ કર્મચારીઓને જે ગ્રેજ્યુઇટી આપવામાં આવે છે. તેની મર્યાદા 10 લાખ સુધીની હતી. ભારત સરકારના માર્ગદર્શન પ્રમાણે તેમજ ધોરણો પ્રમાણે ગુજરાત સરકારે 29-3-2018ના રોજ નિર્ણય કર્યો હતો કે, ગુજરાત સરકારના કર્મચારીઓને 10 લાખના બદલે 20 લાખ સુધીની મર્યાદામાં ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે. ગુજરાત સરકારના બોર્ડ-નિગમો, કોર્પોરેશનો અને અન્ય સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ અને મારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, અમારી ગ્રેજ્યુઇટીની મર્યાદામાં પણ સરકાર વધારો કરી આપે.

 

Posted by Nitin Patel on Wednesday, 14 August 2019

જેના આધારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુજરાત સરકારના નિગમ, બોર્ડ અને કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીઓને પણ હવે 10 લાખ રૂપિયાની માર્યાદામાં ગ્રેજ્યુઇટી મળતી હતી તેના બદલે ગુજરાત સરકારના બધા કર્મચારીઓના ધોરણ પ્રમાણે તેમને પણ 20 લાખ રૂપિયાની ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે અને જેમ-જેમ જે બોર્ડ, નિગમ કે કોર્પોરેશનની ફાઈલ નાણા વિભાગ સમક્ષ આવતી જશે આ મંજૂરી મેળવવા માટે એ પ્રમાણે રાજ્ય સરકાર મંજૂરી આપશે. તાજેતરમાં જ અમે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એટલે કે, GIDCના જેડાના નિગમોની દરખાસ્ત આવી હતી તેને મંજૂરી આપી હતી અને હવે બાકીના નિગમો પણ સરકારમાં દરખાસ્ત કરશે તો નાણા વિભાગ તેની ચકાસણી કરીને મંજૂરી આપશે.

About The Author

Related Posts

Top News

ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

ભારતીય ઇતિહાસમાં સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ સંસ્કૃતિ, પુનર્જાગરણ અને અડગ શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે....
National 
ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો

ભારતમાં ઘણા એવા શહેરો છે જ્યાં લોકો વોટર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાને બદલે સીધું નળમાંથી જ  પાણી પીવે છે. આ સાત...
National 
દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો

અમૂલ દહીંને લઇને એવો શું દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ સ્પષ્ટતા કરવી પડી

ડાયટિંગ કરનારા અને સંતુલિત આહાર ખનારા લોકો પોતાના દરેક કોળિયાને લઈને ધ્યાન રાખે છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને કેટલું  સુગર...
Lifestyle 
અમૂલ દહીંને લઇને એવો શું દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ સ્પષ્ટતા કરવી પડી

આ બીયર વર્ષમાં માત્ર 15 દિવસ જ વેચાય છે, તેની વિશેષતા જાણીને ચોંકી જશો

જો તમે પીવાના શોખીન હોવ તો તમે ઘણી બ્રાન્ડના બીયરનો સ્વાદ ચાખ્યો હશે, પરંતુ શું તમે ક્યારેય એવી બીયર...
Lifestyle 
આ બીયર વર્ષમાં માત્ર 15 દિવસ જ વેચાય છે, તેની વિશેષતા જાણીને ચોંકી જશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.