સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર, ગ્રેજ્યુઈટી મામલે રાજ્ય સરકારે કરી આ મોટી જાહેરાત

હવે ગુજરાત સરકારના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓને અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની ગ્રેજ્યુઇટી મળતી હતી. અલગ-અલગ કોર્પોરેશન, નિગમ અને બોર્ડના કર્મચારીઓની ગ્રેજ્યુઇટીની રકમ મામલે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સરકારી કર્મચારીઓને 10 લાખના બદલે 20 લાખ સુધીની મર્યાદામાં ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે.

આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે કર્મચારીઓને ગ્રેજ્યુઇટી મેળવવા પાત્ર છે, તે તમામ કર્મચારીઓને જે ગ્રેજ્યુઇટી આપવામાં આવે છે. તેની મર્યાદા 10 લાખ સુધીની હતી. ભારત સરકારના માર્ગદર્શન પ્રમાણે તેમજ ધોરણો પ્રમાણે ગુજરાત સરકારે 29-3-2018ના રોજ નિર્ણય કર્યો હતો કે, ગુજરાત સરકારના કર્મચારીઓને 10 લાખના બદલે 20 લાખ સુધીની મર્યાદામાં ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે. ગુજરાત સરકારના બોર્ડ-નિગમો, કોર્પોરેશનો અને અન્ય સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ અને મારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, અમારી ગ્રેજ્યુઇટીની મર્યાદામાં પણ સરકાર વધારો કરી આપે.

 

Posted by Nitin Patel on Wednesday, 14 August 2019

જેના આધારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુજરાત સરકારના નિગમ, બોર્ડ અને કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીઓને પણ હવે 10 લાખ રૂપિયાની માર્યાદામાં ગ્રેજ્યુઇટી મળતી હતી તેના બદલે ગુજરાત સરકારના બધા કર્મચારીઓના ધોરણ પ્રમાણે તેમને પણ 20 લાખ રૂપિયાની ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે અને જેમ-જેમ જે બોર્ડ, નિગમ કે કોર્પોરેશનની ફાઈલ નાણા વિભાગ સમક્ષ આવતી જશે આ મંજૂરી મેળવવા માટે એ પ્રમાણે રાજ્ય સરકાર મંજૂરી આપશે. તાજેતરમાં જ અમે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એટલે કે, GIDCના જેડાના નિગમોની દરખાસ્ત આવી હતી તેને મંજૂરી આપી હતી અને હવે બાકીના નિગમો પણ સરકારમાં દરખાસ્ત કરશે તો નાણા વિભાગ તેની ચકાસણી કરીને મંજૂરી આપશે.

About The Author

Related Posts

Top News

‘ધૂરંધરની’ની કમાણી પર પાકિસ્તાનના લ્યારીના લોકોનો દાવો, માંગ્યા રૂ. 500 કરોડ, બોલ્યા- ‘રસ્તો બની જશે’

આદિત્ય ધારની ફિલ્મ ‘ધુરંધર: ધ રીવેન્જ’ ભારતમાં બોક્સ ઓફિસના રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધી...
Entertainment 
‘ધૂરંધરની’ની કમાણી પર પાકિસ્તાનના લ્યારીના લોકોનો દાવો, માંગ્યા રૂ. 500 કરોડ, બોલ્યા- ‘રસ્તો બની જશે’

ફોન અને સ્માર્ટવોચ પર તોળાઈ રહ્યો છે ખતરો!, સરકારી એજન્સીએ ચેતવણી બહાર પાડી છે

ભારતીય સાયબર સુરક્ષા એજન્સી, CERT-Inએ એક ચેતવણી બહાર પાડી છે, જેમાં એપલ વપરાશકર્તાઓને સાવધ રહેવા અને નવીનતમ...
Tech and Auto 
ફોન અને સ્માર્ટવોચ પર તોળાઈ રહ્યો છે ખતરો!, સરકારી એજન્સીએ ચેતવણી બહાર પાડી છે

ભાવનગરથી નવી મુંબઈ ફ્લાઇટ શરૂ, દરરોજ 2 ફ્લાઈટ ઉડશે

ભાવનગર એરપોર્ટ ખાતેથી તારીખ 29 માર્ચ 2026થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય નાગરિક...
Gujarat 
ભાવનગરથી નવી મુંબઈ ફ્લાઇટ શરૂ, દરરોજ 2 ફ્લાઈટ ઉડશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 30-03-2026 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર...
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.