ગુજરાત સરકારે અદાણીને 3900 કરોડની વધુ ચૂકવણી કરી, કોંગ્રેસે જાણો શું કહ્યું

કોંગ્રેસની ગુજરાત એકાઈના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શનિવારે આરોપ લગાવ્યો કે, ભાજપ સરકારે બે વજળી ખરીદી ડીલ હેઠળ છેલ્લા 5 વર્ષોમાં અદાણી પવાર મુંદ્રા લિમિટેડને 3,900 કરોડ રૂપિયાની અતિરિક્ત ચૂકવણી કરી છે. તો ગુજરાત સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આરોપોને 'ભરમાવનારા' કરાર આપતા કહ્યું કે, ચૂકવણી માત્ર મધ્યસ્થ છે અને અંતિમ નથી.
શક્તિસિંહ ગોહિલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)એ અદાણી પવારને ઓક્ટોબર 2018થી માર્ચ 2023 વચ્ચે 13 હજાર 802 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે, જ્યારે ખાનગી કંપનીએ (પોતાના ઉર્જા સંસાધનો માટે) કોયલા ખરીદીનું કોઈ બિલ કે સંબંધિત દસ્તાવેજ સોંપ્યા નથી. કથિત રીતે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 3,802 કરોડ રૂપિયાની માગ કરતા 15 મે 2023ના રોજ અદાણી પાવર મુન્દ્રાને લખેલી એક ચિઠ્ઠી પણ તેમણે પ્રસ્તુત કરી.
આ અતિરિક્ત રકમની ચૂકવણી GUVNLએ ઉપરોક્ત ખાનગી કંપની સાથે કરવામાં આવેલી બે ઉર્જા ખરીદ સમજૂતી હેઠળ ઉર્જા ચાર્જ તરીકે કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આ ભ્રષ્ટાચાર, ધન શોધન, સાર્વજનિક ધનની લૂંટખસોટ અને તેનાથી પણ આગળ મિત્રવાદનો એક મહત્ત્વપૂર્ણ મામલો છે, જેનું વડાપ્રધાન (નરેન્દ્ર મોદી) અને તેમની સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે આ ‘મોટા કૌભાંડ’ની એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને અન્ય એજન્સીઓ પાસે તપાસ કરાવવાની માગ કરી.
सरकार से हमारे सवाल:
— Congress (@INCIndia) August 26, 2023
• ये मनी लॉन्ड्रिंग है! क्या ED, CBI को जांच नहीं करना चाहिए?
• SEBI को भी जांच करनी चाहिए।
• 5 साल तक 13,802 करोड़ रुपये किसके कहने पर दिए गए?
• 3900 करोड़ रुपये में कितने वापस आए?
• सरकार की इच्छा इन पैसों पर ब्याज लेने की है या नहीं?
:… pic.twitter.com/lrjrDKzXyc
શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો કે, GUVNLએ એ માન્યુ છે કે તેણે અમેરિકન કંપની હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણીના કથિત છેતરપિંડીનો ખુલાસો કર્યા બાદ અદાણી પાવરને 3,900 કરોડ રૂપિયાની અતિરિક્ત ચૂકવણી કરી હતી. ચિઠ્ઠીમાં GUVNLએ કહ્યું છે કે, જે દર પર અદાણી પાવર મુંદ્રા દ્વારા કોયલાની ખરીદી કરવામાં આવી, તે વાસ્તવિક બજારના દરથી વધુ છે જેના પર ઇન્ડોનેશિયામાં કોયલા વેચવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું કે, અદાણી પાવર કેટલાક પસંદગીના વપરાશકર્તાઓ પાસેથી પ્રીમિયમ મૂલ્ય પર સતત કોયલાની ખરીદી કરી રહ્યું છે, જે સમય-સમય પર ઇન્ડોનેશિયાના કોયલના વાસ્તવિક બજાર મૂલ્યને પ્રદર્શિત કરતું નથી.
સાથે જ સંબંધિત દસ્તાવેજ સોંપવામાં આવ્યા નથી. આરોપનો જવાબ આપતા મંત્રી પટેલે કહ્યું કે, GUVNL અને અદાણી પાવર વચ્ચે લંબિત મુદ્દાઓના હલ માટે જાન્યુઆરી 2022માં એક ડીલ કરી હતી. GUVNLએ કેન્દ્રીય વિદ્યુત વિનિયામક આયોગ પાસે ખરાઈ બાદ ઉપરોક્ત ડીલ કોન્ટ્રાક્ટનો મૂળ દર નક્કી કરવાનો અનુરોધ કર્યો. તે 15 ઓક્ટોબર 2022ના નિર્ણયો મુજબ મૂળ દર નિર્ધારિત કરવામાં આવ્યા અને આ વિષય પર રાજ્ય સરકારના વિચારાર્થ છે તેમજ બધી ચૂકવણી 15 ઑક્ટોબરથી શરૂ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp