હાર્દિક પટેલ પાટીદાર આંદોલનમાં થયેલા એક કેસમાં નિર્દોષ જાહેર

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે 2017માં થયેલા એક કેસને લઈને કોર્ટ દ્વારા મહત્ત્વનો અને મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગરના એક કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2017ના કેસમાં નિર્દોષ છોડી મૂકવા માટે જામનગર કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ ચૂકાદાના કારણે હાર્દિક પટેલને ચોક્કસપણે રાહત મળી છે તેમ કહી શકાય.

4 નવેમ્બર 2017નો રોજ જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું. આ દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસિયામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા માટે શૈક્ષણિક હેતુથી મંજૂરી લેવામાં આવી હતી, પણ તેમાં રાજકીય ભાષણ થતા આ મામલે ફરિયાદ નોંધાઇ હતી અને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વિનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જામનગર ચોથા એડી. ચીફ. જૂડી મેજીસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચૂકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઇ વિરાણી તથા રાશિદભાઈ ખીરાની દલીલો માન્ય રાખી કોર્ટે ચૂકાદો આપ્યો છે. 25 ઓગસ્ટ 2015 ના રોજથી આક્રમક મોડમાં કરવામાં આવેલા આંદોલનને કારણે પહેલાં 9 અને ત્યારબાદ કુલ 14લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સાથે જ પાટીદાર અનામતની માગ સાથે આંદોલનની શરૂઆત કરનારા હાર્દિક પટેલ હવે એક સામાન્ય યુવકમાંથી નેતાના પદ પર પહોંચી ગયા છે.

થોડા દિવસ અગાઉ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને પાટીદાર આંદોલન સમયેના નિકોલ કેસમાં કોર્ટે સમન્સ પાઠવ્યું હતું અને ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે સમન્સ ઇશ્યુ કર્યુ હતું. તેમજ 8 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું છતા હાર્દિક પટેલ હાજર રહ્યા નહોતા.  કોર્ટમાં ગેરહાજર રહેવા પાછળનું કારણે મેડિકલ બતાવ્યું હતું. તો આ અંગે પાટીદાર આગેવાન અને આ કેસના આરોપી ગીતા પટેલે જણાવ્યું હતું કે, સરકાર ચૂંટણી વખતે જાહેરાત કરે છે અમે બધા કેસ પરત લઈ લઈશું, પરંતુ અમે હજુ પણ કોર્ટમાં આવીએ છીએ અને ટૂંકી મુદ્દત 5-8 દિવસની મુદ્દતે અમે આવી છીએ અને હેરાન થઈ રહ્યા છીએ તેમજ આજે બીજા બધા હાજર હતા ફક્ત હાર્દિક પટેલ ગેરહાજર હતા.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ થઇ હતી, 100થી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરાઇ હતી. કેસમાં 10થી વધુ સાક્ષીઓની જુબાની પણ લેવાઇ હતી. હાર્દિક પટેલની નીકોલમાં આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલા અટકાયત કરવામાં આવી હતી. હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત બાદ ગુનો પણ નોંધાયો હતો. 25 ઓગસ્ટ 2018 પોલીસ સાથે ગેરવર્તનની ફરિયાદ નોંધાઇ હતી. ગીતા પટેલ, કિરણ પટેલ સહિતના લોકો સામે ગુનો નોંધાયેલો છે. 

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.