પહેલા રાહુલનું સમર્થન કર્યું પણ રાહુલે એવું કહ્યું કે ગરમ થઈ ગયા રાઉત-ઠાકરે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સાવરકરવાળા નિવેદન પર ઉદ્ધવ ઠાકરે બાદ સંજય રાઉતે પણ વિરોધ વ્યક્ત કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે, વીર સાવરકર આપણા અને દેશ માટે શ્રદ્ધાનો વિષય છે. અંડામાનમાં 14 વર્ષ સુધી કાળા પાણીની સજા સરળ નથી. આવી ટિપ્પણી પર મહારાષ્ટ્રની જનતા જવાબી આપી શકે છે. અમે તમારી સાથે છીએ પરંતુ, વીર સાવરકર અમારા પ્રેરણાસ્ત્રોત છે. વીર સાવરકર પર રાહુલ ગાંધીની ટિપ્પણીને સંજય રાઉતે ખોટું નિવેદન ગણાવ્યું છે.

સંજય રાઉતે કહ્યું કે, તેઓ ગાંધી છે પરંતુ, સાવરકરનું નામ લાવવાની જરૂર નથી. સાવરકર અમારી પ્રેરણા છે. અમારી લડાઈની પાછળ છત્રપતિ શિવાજી મહારાજ અને વીર સાવરકર છે. આ ઉપરાંત, જ્યારે સંજય રાઉતને સવાલ કરવામાં આવ્યો કે શું તેઓ આ મુદ્દે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે સામસામે વાત કરશે તો તેમણે કહ્યું કે, હું નિશ્ચિતરૂપે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી પાસે માફી માંગવા માટે કહ્યું હતું તો તેના પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મારું નામ સાવરકર નથી ગાંધી છે અને ગાંધી ક્યારેય માફી નથી માંગતા.

સંજય રાઉત પહેલા ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, PM મોદી વિરુદ્ધ લડાઈમાં અમે તમારી સાથે છીએ પરંતુ, વીર સાવરકર વિરુદ્ધ એક પણ શબ્દ સાંખી લેવામાં નહીં આવશે. ઉદ્ધવ ઠાકરેએ ખુલ્લો પડકાર આપતા કહ્યું કે, તેમની પાર્ટી એમવીએ મહાવિકાસ અઘાડીમાં છે. કારણ કે, તેઓ લોકતંત્રની રક્ષા માટે એકજૂથ થઈને BJP વિરુદ્ધ લડી રહ્યા છે. જો તમે એકસાથે લડવા માંગતા હો તો એ સ્પષ્ટ છે કે, અમારા ભગવાનનું અપમાન સાંખી લેવામાં આવશે નહીં.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, વીર સાવરકર વિરુદ્ધ એક પણ લાઈન સાંખી લેવામાં નહીં આવશે અને જો આ સાર્વજનિક મંચ પર એક ખુલ્લી ચેતવણી છે. ગુજરાતમાં સુરતની એક કોર્ટ દ્વારા 2019ના માનહાનિ મામલામાં દોષી જાહેર થવાના એક દિવસ બાદ શુક્રવારે ગાંધીને લોકસભાના સભ્ય પદ પરથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા.

દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે, મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે અને ગાંધી કોઈની પણ માફી નથી માંગતા. ઠાકરેએ કહ્યું કે, તેમણે ગાંધીની ભારત જોડો યાત્રાનું સમર્થન કર્યું. તેમણે કહ્યું, રાહુલ ગાંધીએ કાલે પોતાની પ્રેસવાર્તામાં સારી વાત કહી. તેમણે યોગ્ય સવાલ ઉઠાવ્યો કે, 20000 કરોડ રૂપિયા કોના છે? પરંતુ, સરકાર જવાબ આપવા નથી માંગતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.