હવે ગુજરાત કોંગ્રેસ ભાજપને ટક્કર આપશે, હાઇકમાન્ડે લીધો આ મોટો નિર્ણય,કમલની જેમ..

27 વર્ષથી ગુજરાતમાં ચૂંટણી હારી રહેલી કોંગ્રેસને હવે ભાન થયું છે કે ચૂંટણી જીતવા માટે ભાજપના કમલમ જેવા મોટા કાર્યલયો કોંગ્રેસના પણ હોવા જોઇએ. કોંગ્રેસ હાઇકમાન્ડે હવે મોટો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની એ દરખાસ્તને મંજૂર કરી દીધી છે, જેમાં પાર્ટીએ જિલ્લા મુખ્યાલયો પર રાજીવ ગાંધી ભવન બનાવવાની માંગ કરી હતી. દિલ્હીમાં કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

ગુજરાતમાં 27 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સામે મજબૂતીથી લડશે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ નવી દિલ્હી હાઈકમાન્ડની બેઠકમાં પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. ભાજપને ટક્કર આપવા માટે પાર્ટી સંસાધનોના મોરચે પોતાને મજબૂત કરશે. કોંગ્રેસ પાર્ટી રાજ્યના દરેક જિલ્લામાં પાર્ટી કાર્યાલયો સ્થાપશે, જેથી સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ સારી રીતે આયોજિત કરી શકાય.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસ અમદાવાદના પાલડીમાં છે. પાર્ટીનું પ્રદેશ કાર્યાલય પોતાનું છે, પરંતુ બાકીના જિલ્લા અને શહેરોમાં પાર્ટીની ઓફીસો સારી સ્થિતિમાં નથી. એવામાં પાર્ટીએ ભાજપને ટક્કર આપવા માટે ભાજપના કમલમની જેમ દરેક જિલ્લામાં રાજીવ ભવન બનાવશે. ભાજપના બધા જિલ્લામાં કાર્યાલયો છે અને તે પણ સારી સુવિધાઓ સાથેના અને હજુ અનેક જિલ્લામાં કમલમ બનાવવાનું ચાલું જ છે.

દિલ્હીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠક પછી ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જૂન મોઢવડિયાએ માહીતી આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં 33 જિલ્લા અને શહેરમાં રાજીવ ભવનનું નિર્માણ કરવામાં આવશે અને તહસીલ સ્તર પણ રાજીવ ભવન બનાવવામાં આવશે. અત્યારે પાર્ટી પાસે મોટા અને સારા કહી શકાય તેવા કાર્યાલયો નથી, જેને કારણે સંગઠન સાથે જોડાયેલી ગતિવિધીઓ થઇ શકતી નથી. જેને કારણે પાર્ટી સ્તર પર મોટું નુકશાન થતું હતું. ઘણી વખત કાર્યક્રમો માટે પણ મંજૂરી નહોતી મળતી. હવે પાર્ના પોતાના કાર્યલયો બનવા પછી સંગઠનની ગતિવિધીઓને વેગ મળશે.

ગુજરાતના નેતાઓ સાથે મળેલી આ મહત્ત્વની બેઠક કોંગ્રેસના મહાસચિવ અને ICCના ટ્રેઝરર પવન બંસલની અધ્યક્ષતામાં મળી હતી. દિલ્હીમાં મળેલી આ બેઠકમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અજૂર્ન મોઢવડિયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, પરેશ ધાનાણી, જિગ્નેશ મેવાણી અને શૈલેન્દ્ર પરમાર હાજર રહ્યા હતા.

દિલ્હી પહોંચેલા ગુજરાતના નેતાઓનો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાજૂર્ન ખડગેને મળવાનો પણ કાર્યક્રમ છે. તેમની સાથેની બેઠકમાં લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા થઇ શકે છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.