જરૂર પડશે તો છત્તીસગઢમાં પણ બજરંગ દળ પર પ્રતિબંધ મૂકીશું: CM ભૂપેશ બઘેલ

કર્ણાટકમાં કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ દળ પર પ્રતિબંધની વાત કરી છે અને સાથે બજરંગ દળની તુલના PFI જેવા આતંકવાદી સંગઠન સાથે કરી છે, હવે કોંગ્રેસ શાસિત રાજ્યો પણ બજરંગ દળ પર પ્રતિબંધ મુકવા માટે ઉંચા નીચા થઇ રહ્યા છે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બજરંગ દળ એક મોટો મુદ્દો બની ગયો છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સત્તા પર આવ્યા પછી બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાનું વચન આપ્યું છે. ભાજપે આ મુદ્દાને પકડી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધીને બજરંગ બલીને તાળામાં કેદ  કરવાનો આરોપ લગાવી દીધો. PM મોદીએ કહ્યું કે, આ કોંગ્રેસે ભગવાન શ્રીરામને તાળામાં બંધ કરી દીધા હતા, હવે બજરંગ બલી બોલવાવાળાને પણ બંધ કરવા માંગે છે.જો કે કોંગ્રેસ હવે પીછેહઠ કરવા માંગતી નથી.

હવે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ કહ્યું છે કે, જરૂર પડશે તો છત્તીસગઢમાં પણ બજરંગ દળ પર પ્રતિબંધ લગાવી દઇશું. CM ભૂપેશ બઘેલે બજરંગ દળના લોકો પર ગુંડાગર્દીનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે એ લોકો બજરંગ નામ જોડીને ગુંડાગર્દી કરી રહ્યા છે. એવા ગુંડાઓને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. અમારી સરકારે તેની પર અકુંશ મુક્યો છે અને જરૂર પડશે તો BAN પણ કરી દઇશું.

CM બઘેલે સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને કહ્યું હતું કે, એ લોકો જુઠું બોલી રહ્યા છે. રામ મંદિરનું તાળું તો રાજીવ ગાંધીની સરકારે ખોલાવેલું. તેમણે કહ્યું કે ભગવાન રામ અને બજરંગ બલી અમારા આરાધ્ય દેવ છે. પરંતુ એ લોકો ભગવાનું નામ લઇને ગુંડાગર્દી કરી રહ્યા છે.

આ વચ્ચે તેલંગાણામાં બજરંગ દળના લોકોએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો વિરોધ કર્યો હતો, જે પછી તેમની અટકાયત કરવામાં આવી હતી. હૈદ્રાબાદમાં કોંગ્રેસ ઓફીસની બહાર બજરંગ દળના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને નારેબાજી કરી હતી.

રાજસ્થાન કોંગ્રેસે પણ બજરંગ દળ પર પ્રતિબંધના સંકેત આપ્યા છે. અશોક ગેહલોત સરકારના મંત્રી ગોવિંદરામ મેઘવાલે કહ્યુ હતુ કે, બજરંગ દળના કાર્યકરો અપરાધમા સામેલ હોય છે. કેન્દ્રીય નેતાગીરી સાથે વાતચીત કરીને બજરંગ દળ માટે નિર્ણય લેવાશે.

કર્ણાટકમાં કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ દળ પરના પ્રતિબંધની વાત કરી છે અને તેની સરખામણી PFI જેવા આતંકવાદી સંગઠન સાથે કરી છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.