પાકિસ્તાન પર કબ્જો કરવો હોય તો કિક્રેટર, કલાકારો પર પ્રતિંબંધ લગાવો: વી કે સિંહ

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના દિવસોમાં અનંતનાગ સહિત અનેક સ્થળોએ સેના અને પોલીસ પર આતંકી હુમલા થયા છે. અનંતનાગ એન્કાઉન્ટરમાં આર્મીના એક કર્નલ અને મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક DSP શહીદ થયા છે, જેના પછી દેશમાં આક્રોશનો માહોલ છે.એન્કાઉન્ટર પાછળ પાકિસ્તાની ષડયંત્ર પણ સામે આવી રહ્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રી વીકે સિંહે પાકિસ્તાનન બહિષ્કાર કરવા પર ભાર મૂક્યો છે.

પૂર્વ ભારતીય સેનાના પ્રમુખ જનરલ વી કે સિંહે ગુરુવારે કહ્યું કે આપણે વિચારવાની જરૂર છે, કારણ કે જ્યાં સુધી પાકિસ્તાનને એકલું પાડી દેવામાં નહીં આવે ત્યાં સુધી આ પડોશી દેશ આપણી સાથે સામાન્ય સંબંધો રાખવા પર વિચાર કરશે નહીં. જો આપણે તેની પર પ્રેસર ઉભું કરવું હશે તો તેનો બહિષ્કાર કરવો પડશે. વી કે સિંહે કહ્યું કે પાકિસ્તાનના ક્રિકેટરો, કલાકારો બધા પર ભારતમાં આવવા પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ.

વી કે સિંહ ગુરુવારે મધ્ય પ્રદેશના ઇંદોર પહોંચ્યા હતા. તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના પ્રચાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. વી કે સિંહે ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જમ્મૂ-કાશ્મીરમાં નાની મોટી આતંકવાદી ઘટનાઓ બનતી રહેવાની, એને પુરે પુરી ખતમ કરવામાં સમય લાગશે, કારણ કે એક દેશ દેવાળિયો થઇ જવા છતા ભારતના આંતરિક મામલામાં ઘુસણખોરી કરવાની ચેષ્ટાને મગજમાંથી બહાર નથી કાઢી શકતો.

વી કે સિંહે કહ્યું કે પાકિસ્તાને એ સમજવાની જરૂર છે કે સામાન્ય સંબંધો ત્યાં સુધી નહીં બની સકે, જ્યા સધી તમે તમારા વ્યવહાર સામાન્ય ન કરી લો. સિંહે કહ્યું કે, જ્યારે આ દેશ છિન્ન ભિન્ન થઇ જશે તો આતંકવાદ આપોઆપ ખતમ થઇ જશે.

જનરલ વી કે સિંહે દાવો કર્યો કે જ્મ્મૂ-કાશ્મીરમાં સામાન્ય નાગરિક હવે પહેલા કરતા વધારે ખુશ છે. તેમણે કહ્યુ કે, આતંકવાદીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને લોકોને હવે અલગતાવાદી તત્વો દ્વારા ગેરમાર્ગે દોરાતા નથી. આ સરહદી રાજ્ય દેશના અન્ય ભાગોથી અલગ છે તેવી ગેરસમજ પણ ભૂંસાઈ ગઈ છે. વીકે સિંહે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડસ્ટ્રીઝ અને ટૂરિઝમનો વિકાસ ઝડપી ગતિએ થઈ રહ્યો છે. જો તમે એક સામાન્ય કાશ્મીરી નાગરિકને પૂછો, તો તે તમને કહેશે કે તે આ વિકાસથી ખૂબ જ ખુશ છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.