શું UPમાં ધર્મ જોઈને થઈ રહ્યા છે એન્કાઉન્ટર? આંકડાઓથી સમજો ઓવૈસીના દાવાની હકીકત

ઉત્તર પ્રદેશમાં માફિયાઓને માટીમાં મળાવવાની શરૂઆત થઈ ચૂકી છે. અતિક અહમદના દીકરા અસદને ઉત્તર પ્રદેશ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો છે. દીકરાના મોત બાદ અતિકે કહ્યું કે, બધુ તેના કારણે થયું છે. મતલબ એ કે ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસની તાકત આગળ અસહાય અનુભવી રહ્યો છે, પરંતુ રાજકારણ પણ અજીબ છે. ગુનેગારોના એન્કાઉન્ટરમાં પણ ધર્મને શોધવામાં આવી રહ્યો છે. અસદુદ્દીન ઔવેસીએ કહ્યું કે, ભાજપ ધર્મ જોઈને એન્કાઉન્ટર કરે છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના મુખિયાએ કહ્યું કે, ભાજપ ભાઇચારા વિરુદ્ધ છે.

24 ફેબ્રુઆરીના રોજ અતિકનો દીકરો અસદ ઉમેશ પાલ પર ગોળીઓ ચલાવતો CCTVમાં કેદ થયો હતો. તો અતિકનો શૂટર ગુલામ મોહમ્મદ એક દુકાનમાં ઉમેશ પાલની રાહ જોતો દેખાયો હતો. ઘટના બાદ બંને ફરાર હતા. ગુરુવારે ઝાંસી પાસે ઉત્તર પ્રદેશ STFએ અસદ અને ગુલામ બંનેને ઠાર કરી દીધા. જે સમયે ઝાંસીમાં અસદ અને ગુલામનું એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું,એ  સમયે ઉત્તર પ્રદેશ પોલીસે અતિકને પ્રયાગરાજની CJM કોર્ટમાં રજૂ કર્યો હતો. અસદ અને ગુલામના એન્કાઉન્ટરના સમાચાર ફેલાયા તો રાજકારણ પણ તેજ થઈ ગયું.

રાજ્યની ભાજપ સરકારે પોતાની પીઠ થપથપાવી તો અસદુદ્દીન ઓવૈસીએ સવાલ ઊભા કર્યા. તેમણે સરકારને આડે હાથ લેતા કહ્યું કે, શું ભાજપ જુનૈદ અને નાસિરની હત્યા કરનારાઓનું પણ એવી રીતે અન્કાઉન્ટર કરશે? નહીં, કેમ કે ભાજપ ધર્મના નામ પર એન્કાઉન્ટર કરે છે. તમે કાયદાને નબળો કરવા માગો છો. સંવિધાનનું એન્કાઉન્ટર કરો છો. ઓવૈસીના આરોપોમાં કેટલી હકીકત છે? એ જાણવા માટે હવે આંકડાઓની વાત કરીએ. રેકોર્ડ મુજબ, વર્ષ 2017 એટલે કે યોગી સરકારના સત્તામાં આવ્યા બાદ અત્યાર સુધી 183 ગુનેગાર માર્યા ગયા છે.

તો આ દરમિયાન 13 પોલીસકર્મી પણ શહીદ થયા છે. માર્યા ગયેલા ગુનેગારોમાં લગભગ 35 ટકા મુસ્લિમ છે. વર્ષ 2021 સુધી ગુનેગારોનો આ આંકડો 135 હતો. તેમાં 51 મુસ્લિમ હતા. આ આંકડાઓથી સમજી શકાય છે કે શું યોગી સરકાર માત્ર મુસ્લિમોને જ ટારગેટ કરીને એન્કાઉન્ટર કરી રહી છે? અસદ અને ગુલામના એન્કાઉન્ટર પર ઉત્તર પ્રદેશ STFના ADGએ જણાવ્યું કે, 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં જે ઘટના થઈ હતી, તેના CCTV ફૂટેજ બધાએ જોઈ હતી. એક મહત્ત્વપૂર્ણ સાક્ષી, જેને સુરક્ષા મળી હતી, તેને મારી દેવામાં આવ્યો. સાથે જ સુરક્ષાકર્મીઓને પણ મારી દેવામાં આવ્યા.

એવી ક્રિમિનલ ગેંગ જેણે પહેલા પણ પોલીસકર્મીઓની હત્યા કરી છે. તેમની તપાસ શરૂ થઈ ગઈ છે કેમ કે આ ઘટના આખા જસ્ટિસ સિસ્ટમની જડ પર પ્રહાર હતી. જો આ પ્રકારની ઘટના થશે અને એવો ડર ફેલાશે તો કોઈ પણ સાક્ષી કોર્ટમાં જુબાની નહીં આપે. વિપક્ષી નેતાઓ દ્વારા રાજનૈતિક લાભ માટે અન્કાઉન્ટરના આરોપો પર STF ADGએ કહ્યું કે જો તેમણે સરેન્ડર કરવું હોત તો તે કોર્ટમાં સરેન્ડર કરી દેતા. તેમનો એ ઇરાદો નહોતો. તેમણે STF ઉપર ફાયરિંગ કરી હતી. STFનું કામ કાયદાના દાયરામાં હોય છે. દરેક એન્કાઉન્ટર એક સઘન તપાસના માધ્યમથી થઈને પસાર થાય છે.

આજ સુધી STFનું કોઈ પણ એનકાઉન્ટર ખોટું સાબિત થયું નથી. એટલી સખત મહેનત પર સવાલ ઉઠાવી શકાય છે, પરંતુ ખોટી સાબિત નહીં કરી શકાય. ધર્મ સાથે જોડવાના સવાલ પર તેમણે કહ્યું કે, અમારું ઉદ્દેશ્ય એવું નહોતું. અમે દરેક પ્રકારના ગુનેગારો પર કાર્યવાહી કરીએ છીએ. આ ગેંગમાં પણ દરેક પ્રકારના લોકો છે. દોષીનો કોઈ ધાર્મિક રંગ હોતો નથી. આ પ્રકારની કાર્યવાહી માટે જ STF બનાવવામાં આવી છે. કોઈ પણ માફિયા ગેંગ આ પ્રકારની ગતિવિધિઓ કરે છે તો અમારા માટે એ ચેલેન્જ હોય છે કે તેમને પકડીએ. અમારું પ્રેશર કાયદાના દાયરામાં કામ કરવું અને પરિણામ આપવાનું હોય છે. બહારથી કોઈ પ્રકારના પ્રેશરની જરૂરિયાત નથી હોતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.