દેવામાં ડૂબેલા શ્રીલંકાની મદદ માટે ભારતે હાથ આગળ વધાર્યો, ચીનથી નારાજ શ્રીલંકા

થોડા દિવસો પહેલા ભારત તરફથી શ્રીલંકાને કહેવામાં આવ્યું હતું કે, તે સંપૂર્ણ રીતે દેવામાં ફસાયેલા પોતાના પડોસી મિત્રની મદદ કરવા માટે તૈયાર છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે શ્રીલંકા પ્રવાસ પર દેશને કહ્યું કે, સાત દાયકાનું સૌથી મોટા દેવાનું સંકટ દૂર કરવામાં ભારત મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. જયશંકરનું આ નિવેદન ચીનને પસંદ ન આવ્યું હોય એવું લાગે છે. આ નિવેદનના તુરંત બાદ જ ચીને શ્રીલંકાના નાણાં મંત્રાયલને એક ચિઠ્ઠી લખી છે. તેમાં તેણે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે, IMFના દેવાના પ્રોગ્રામને હાંસલ કરવા માટે તેની મદદ કરવાની વાત કરી છે.

શ્રીલંકાના અખબારની એક ખબર અનુસાર, ચીન તરફથી મોકલવામાં આવેલી ચિઠ્ઠીમાં એ ઋણ પુનર્ગઠનમાં સમર્થનની વાત કરવામાં આવી છે. જેના માટે આ દેશ ઘણા સમયથી કોશિશ કરી રહ્યો છે. શ્રીલંકા સરકારના એક સરકારી સૂત્રોના હવાલાથી અખબારે લખ્યું છે કે, શ્રીલંકાની સરકારને ચીન તરફથી એક સકારાત્મક વલણની આશા હતી. પણ ચીનની જગ્યા પર ભારતે મદદનો હાથ આગળ કર્યો અને સંકટમાં ફસાયેલા દેશે રાહતનો શ્વાસ લીધો. શ્રીલંકાની સરકાર ચીન તરફથી મળેલી ચિઠ્ઠીને લઇને થોડી નિરાશ છે.

આ નિરાશા બાદ પણ શ્રીલંકાએ નક્કી કર્યું કે, તે દેવાનું પુનર્ગઠન માટે વાતચીત ચાલુ રાખશે. સાથે જ તેને બધું સારુ થવાની આશા વ્યક્ત કરી છે. સરકારને સૂત્રોની માનીએ તો ચીન તરફથી જેવી પ્રતિક્રિયા મળી છે, તે આશા વિપરિત છે. બીજી બાજુ ભારતે પેરિસ ક્લબની સાથે મળીને શ્રીલંકાઇ દેવાના પુનર્ગઠનમાં સહયોગની ઇચ્છા વ્યક્ત કરી છે. ભારતની આ ઇચ્છા ચીન સાથે શેર કરવામાં નથી આવી. પેરિસ ક્લબ તરફથી પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. દેવાનું પુનર્ગઠન દરેક લેણદારો માટે એક સમાન હોવું જોઇએ. સાથે જ દેણદારોને એક સમાન રજૂઆત કરવામાં આવે. પણ દ્વીપક્ષીય લેણદારો પાસે દેવાને ટાળવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

આ દરમિયાન, IMF, શ્રીલંકાના દેવાના પુનર્ગઠન માટે ચીનની સાથે વાતચીત કરી રહ્યું છે અને દેશને મનાવવાની કોશિશમાં લાગ્યું છે. થોડા દિવસો પહેલા IMFના ક્રિસ્ટાલિના જોર્જિવાએ કહ્યું કે, IMF, ચીનને આ આખા મુદ્દા પર સમજાવવા માગે છે. તે ચીનને કહેવા માગે છે કે, તેના માટે બીજુ શું શું થઇ શકે. ભારત સરકારે ગયા સપ્તાહે IMFને એક ઓફિશિયલ ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠીમાં તેમણે ઋણ પુનર્ગઠન કાર્યક્રમને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.