2000ની નોટ પાછી ખેંચી લેવા પાછળ આગામી ચૂંટણીનું કોઇ કનેક્શન છે? સરવે જાણો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત પછી રાજકીય હલચલ મચેલી છે. RBIના આ નિર્ણયને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. વિપક્ષ 2000ની નોટ પાછી ખેંચી લેવાના પગલાંને મોદી સરકારની નિષ્ફળતા બતાવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમે કહ્યું કે તેમને આશા છે કે ભારત સરકાર 1000 રૂપિયાની નોટ ફરીથી બજારમાં રજૂ કરશે અને કહ્યું કે 1000 અને 500 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવી એ એક મોટી ભૂલ હતી અને દેશના લોકોએ તેને સ્વીકાર્યું ન હતું. . કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે વિપક્ષે તે સમયે બજારમાં રૂ. 2000ની નોટ લાવવાનો સખત વિરોધ કર્યો હતો.

 આ બધી રાજકીય બબાલો વચ્ચે C- વોટરે ABP ન્યૂઝ માટે એક સર્વે કર્યો છે કે શું 2000ની નોટ પાછી ખેંચી લેવા પાછળ આગામી ચૂંટણીનું કોઇ કનેક્શન છે? લોકોએ સરવેમાં મોટાભાગના લોકોએ હા માં જવાબ આપ્યો હતો.

C- વોટર અને ABPના સર્વેમાં સવાલ પુછવામાં આવ્યો હતો કે 2000ની નોટ પાછી ખેંચી લેવા માટે આવનારી ચૂંટણીનું કોઇ કનેકશન છે? સર્વેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 45 ટકા લોકોએ હા માં જવાબ આપ્યો છે, 34 ટકા લોકોએનું માનવું છે કે આવું નથી, જ્યારે 21 ટકા લોકોએ કહ્યું કે કઇ કહી શકાય નહી.

સર્વેમાં બીજો પણ એક સવાલ પુછવામાં આવ્યો હતો કે 2000ની નોટસ પાછી ખેંચી લીધા બાદ શું કેન્દ્ર સરકાર 1000ની ચલણી નોટ પાછી લાવવા માંગે છે?  આ સવાલનો પણ ચોંકાવનારો જવાબ સામે આવ્યો છે. સર્વેમાં ભાગ લેનારા 66 ટકા લોકોએ કહ્યું કે હા, સરકાર 1000ની નોટ પાછી લાવવા માંગે છે. 22 ટકા લોકોએ ના માં જવાબ આપ્યો, જ્યારે 12 ટકા લોકોએ કહ્યું કે કઇ કહી શકાય નહી.

શુક્રવારે મોડી સાંજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી કે 2000ની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. લોકોએ તેમની પાસે પડેલી નોટસ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકોમાં જમા કરાવી દેવાની છે. RBIએ સાથે એ પણ કહ્યું કે લોકો બેંકોમાંથી એક વખત 2000ની નોટ્સ બદલાવી શકશે. મતલબ કે 20000 રૂપિયા એક્સચેન્જ થઇ શકશે.

લોકસભાની ચૂંટણી 2024માં આવી રહી છે ત્યારે કેટલાંક લોકો આને ચૂંટણી સાથે જોડી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.