ભાવનગર પહોંચેલા કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે યુવરાજ સિંહ વિશે જાણો શું કહ્યું?

કોંગ્રેસ આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં ઠાકોરે કહ્યુ કે, યુવરાજ સિંહે ડમી કાંડ અને પેપર ફુટવાના કૌભાંડો બહાર પાડ્યા અને એ પછીનો જે એપિસોડ થયો છે કે તેમણે પૈસા લીધા, માંગણી કરી તો મારે સરકારને કહેવું છે કે તમે એક રૂમમાં બેસીને તપાસ શું કામ કરો છો? તપાસ કરતી વખતે ચાર-પાંચ મીડિયાને સાથે રાખો. ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં 27-27 પેપરો ફુટ્યા, પરંતુ સરકારે આજ સુધી કોઇ અસરકાર પગલા કે  કાયદાકીય કાર્યવાહી કરી નથી કે કોઇ ગુનો દાખલ કર્યો નથી. સરકારે એવા પગલાં લેવા જોઇએ જેથી વિદ્યાર્થીઓને સરકાર પર ભરોસો બેસે.

ભાવનગરમાં જયભારત સત્યાગ્રહનો કોંગ્રેસનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ભાગ લેવા પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, ગુજરાતમાં એપ્રિલથી મે મહિના સુધીનો સંગઠનનો કાર્યક્રમ આપ્યો છે. 15 એપ્રિલથી 25 મે સુધીમાં 33 જિલ્લા અને 8 મહાનગરોમાં નાની મોટી રેલી અને જિલ્લા કારોબારી અને શહેર કારોબારીના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, જેના ભાગરૂપે અમે આજે ભાવનગર આવ્યા છે.

ઠાકોરે આગળ કહ્યું કે, મે મહિનામાં કોંગ્રેસ પ્રજાની મુશ્કેલીઓ દુર કરવા માટે આંદોલની ભૂમિકા તૈયાર કરશે. એના માટે યુથ કોગ્રેસસ કિસાન મંચ, લીગલ સેલ, બધાને સંગઠનના જુદા જુદા કાર્યક્રમો આપીશું અને સરકાર સામે લડત ચલાવીશું.

જ્યારે મીડિયાએ ઠાકોરને ડમી કાંડ અને યુવરાજ સિંહ વિશે પુછ્યુ તો તેમણે કહ્યુ કે, ગુજરાતમાં ડમી કાંડનો મુદ્દો ઘણા સમયથી ચાલે છે અને આ મધ્ય પ્રદેશના વ્યાપમ ગોટાળાથી પણ મોટું કૌભાંડ ચાલે છે. ગુજરાતમાં પેપરો ફુટવાના બનાવો બનતા રહે છે અને 27-27 પેપરો ફુટવા છતા સરકારે કોઇ પણ અસરકાર પગલાં લીધા નથી.

જગદીશ ઠાકોરે કહ્યુ કે યુવરાજ સિંહ ડમી કાંડના કૌભાંડો બહાર લાવ્યા હતા અને હવે જે એપિસોડ બન્યો તેમાં એવું કહેવાય રહ્યું છે કે તેમણે પૈસા લીધા છે. તો મારે કહેવું છે કે તમે એક રૂમમાં બેસીને તપાસ કરવાને બદલે મીડિયાને સાથે રાખીને તપાસ કરો. તમે કહો છો કે કોઇને છોડીશું નહીં, તો સાથે બેરોજગાર યુવાનો હતાશ થયા છે તેની પણ વાત કરો ને. રાજ્યમાં 17 લાખ લોકોએ સરકારી નોકરીની પરીક્ષા માટે અરજી કરી હતી, તેમાંથી 40 ટકા લોકોએ જ પરીક્ષા આપી, 60 ટકા વિદ્યાર્થીઓને હવે ગુજરાત સરકાર પર ભરોસો રહ્યો નથી. આ 60 ટકા વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ આખા ગુજરાતમાં લડત ચલાવશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.