
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ જેલથી દેશના નામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાના પર લેતા ચિઠ્ઠી લખી છે, આ ચિઠ્ઠીમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન ઓછું ભણેલા હોવું દેશ માટે ખતરનાક છે. મનિષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષણનું મહત્ત્વ સમજતા નથી અને છેલ્લા કેટલાક વર્ષોથી તેમણે આખા દેશમાં 60 હજારથી શાળાઓ બંધ કરી દીધી છે. મનિષ સિસોદિયાએ કટાક્ષ કરતા કહ્યું કે, દેશની પ્રગતિ માટે વડાપ્રધાનનું ભણેલું-ગણેલું હોવું જરૂરી છે.
મનિષ સિસોદિયાએ પોતાની ચિઠ્ઠીમાં લખ્યું કે, વડાપ્રધાન જ્યારે વાત કહે છે કે ગંદા નાળામાંથી ગેસ કાઢીને ચા બનાવી શકાય છે, ત્યારે મારું દિલ બેસી જાય છે. મનિષ સિસસોદિયાએ જેલથી દેશના નામે લખેલી ચિઠ્ઠીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંવૈધાનિકતા પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પોતાની ચિઠ્ઠીમાં કહ્યું કે, દેશના વડાપ્રધાન ઓછા ભણેલા છે એટલે દુનિયાના રાષ્ટ્રાધ્યક્ષો તેમને ગળે લગાવીને ન જાણે કેટલાય કાગળો પર સહી કરાવી લે છે કેમ કે વડાપ્રધાન સમજી જ શકતા નથી કેમ કે તેઓ ઓછા ભણેલા-ગણેલા છે.
Jailed former Delhi deputy CM Manish Sisodia writes to PM Modi, raises questions on his education.
— ANI (@ANI) April 7, 2023
"For the progress of India, it is necessary to have an educated PM," Sisodia writes in his letter to the PM. pic.twitter.com/yV7peRjns3
મનિષ સિસોદિયાએ આગળ લખ્યું કે, આજે દેશના યુવાનો મહત્ત્વકાંક્ષી છે, તેઓ કંઈક કરવા માગે છે અને તેઓ અવસરની તપાસમાં છે, તેઓ દુનિયા જીતવા માગે છે, સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં તે કમાલ કરવા માગે છે. શું એક ઓછા ભણેલા-ગણેલા વડાપ્રધાન આજે યુવાઓના સપાનાઓને પૂરા કરવાની ક્ષમતા રાખે છે? હાલના વર્ષોમાં આખા દેશમાં 60 હજાર સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી, કેમ? એક તરફ દેશની વસ્તી વધી રહી છે તો સરકારી શાળાઓની સંખ્યા પણ તો વધવી જોઈતી હતી.
मनीष सिसोदिया ने जेल से देश के नाम चिट्ठी लिखी -
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 7, 2023
प्रधानमंत्री का कम पढ़ा-लिखा होना देश के लिए बेहद ख़तरनाक
मोदी जी विज्ञान की बातें नहीं समझते
मोदी जी शिक्षा का महत्व नहीं समझते
पिछले कुछ वर्षों में 60,000 स्कूल बंद किए
भारत की तरक़्क़ी के लिए पढ़ा-लिखा पीएम होना ज़रूरी pic.twitter.com/VpPyY1Jr2v
અરવિંદ કેજરીવાલે આ ચિઠ્ઠી પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે, મનિષ સિસોદિયાએ જેલથી દેશના નામે ચિઠ્ઠી લખી છે. વડાપ્રધાનનું ઓછું ભણેલા-ગણેલા હોવું દેશ માટે ખૂબ જ ખતરનાક, મોદીજી વિજ્ઞાનની વાતો નથી સમજતા, મોદીજી શિક્ષણનું મહત્ત્વ નથી સમજતા, છેલ્લા થોડા વર્ષોમાં 60,000 શાળાઓ બંધ કરી દેવામાં આવી.
ભારતની પ્રગતિ માટે ભણેલા-ગણેલા વડાપ્રધાન હોવા જરૂરી. અરવિંદ કેજરીવાલની આ પોસ્ટ પર લોકોએ ઘણી કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું કે, મોદીને વોટ આપનાર 99.99 ટકા લોકોને કોઈ ફરક પડતો નથી કે મોદીજીની ડિગ્રી શું છે? ઊલટાનું તેમાં વધારે રુચિ લઈ રહ્યા છે અને તપાસ પણ કરી રહ્યા છે કે IITની ડિગ્રીવાળાએ એવો કયો તાર મારી લીધો ભલો?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp