હવે કોંગ્રેસ પણ હિંદુત્વની રાહ પર, કમલનાથે કહ્યું- માત્ર BJP નથી ધર્મની ઠેકેદાર

મધ્ય પ્રદેશ કોંગ્રેસે શનિવારે હિંદુત્વની રાહમાં મોટું પગલું લીધુ. સંસ્કારધાની જબલપુરમાં મધ્ય પ્રદેશ કોંગ્રેસના ધર્મ તેમજ ઉત્સવ પ્રકોષ્ઠના બેનર હેઠળ ઘણા ધાર્મિક આયોજનો કરવામાં આવશે. તેનું ઉદ્ઘાટન પૂર્વ CM કમલનાથે કર્યું. તેમણે મા નર્મદાનું પૂજન, ભગવાન શિવનો અભિષેક અને ગૌ પૂજનની સાથે આ ધાર્મિક અભિયાનની શરૂઆત કરી. તેમણે આ સાથે જ એ ઈશારો પણ કરી દીધો કે, વર્ષ 2023માં કોંગ્રેસ ધર્મના આધાર પર ચૂંટણી લડી શકે છે. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પર પણ આકરા શાબ્દિક પ્રહારો કર્યા.

પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ જબલપુરના બરગી વિધાનસભા સ્થિત નાદિયા ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લીધો. તેમણે નાદિયા ઘાટમાં 21 ફૂટ ઊંચા નંદીશ્વર શિવલિંગનું ભૂમિ પૂજન અને હવન કર્યો. ત્યારબાદ તેઓ યાત્રામાં સામેલ થઈ ગયા. તેમણે અહીં મીડિયા સાથે વાતચીત પણ કરી. તેમણે કહ્યું કે, ધર્મનો ઠેકો માત્ર BJPએ નથી લઈ રાખ્યો. કોંગ્રેસ ધાર્મિક આયોજન ખૂબ જ પહેલાથી કરતી આવી રહી છે. પરંતુ, ક્યારેય તેની પબ્લિસિટી નથી કરતી.

તેમણે કહ્યું કે, મેં સૌથી મોટા હનુમાન મંદિરનું નિર્માણ પણ કરાવ્યું છે પરંતુ, તેનો પ્રચાર નથી કર્યો. BJP માત્ર ધર્મના આધાર પર રાજકારણ કરવા માંગે છે. બીજી તરફ, પૂર્વ CM કમલનાથે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા માટે કરવામાં આવેલા ટ્વીટ અને તેના પર સિંધિયાના જવાબ પર ફરી એકવાર પલટવાટ કર્યો. તેમણે કહ્યું કે, હવે કોંગ્રેસને તોપોની કોઈ જરૂર નથી. જનતા તેમની જ 15 મહિનાની સરકારને યાદ કરી રહી છે.

એટલું જ નહીં, પૂર્વ CM કમલનાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર પણ તીખો હુમલો કર્યો. તેમણે કહ્યું કે, ચૂંટણીના સાત મહિના પહેલા CM શિવરાજ સિંહ ચૌહાણને મહાકૌશલ યાદ આવી રહ્યા છે. આ બધુ માત્ર ચૂંટણી નાટક છે. ત્યાં સુધી કે BJPની વિકાસ યાત્રા પણ ફ્રોડ યાત્રા છે. કમલનાથે સરકાર પર સવાલ ઊભા કરતા કહ્યું કે, છેલ્લાં સાત મહિનાથી BJP જનતાને ગુમરાહ કરીને આખરે શું કરવા ઈચ્છે છે. કોંગ્રેસે ‘નવું વર્ષ નવી સરકાર’ના નારા સાથે રાજકીય વર્ષ 2023નો આગાઝ કર્યો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.