બજરંગ દળ પર બેનના વાયદાથી કોંગ્રેસને નુકસાન કે ફાયદો? સરવેમાં લોકોએ ચોંકાવ્યા

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં વાયદો કર્યો છે કે, રાજ્યમાં સરકાર બન્યા બાદ બજરંગ દળ પર કાર્યવાહી કરશે. તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જય બજરંગબલીના નારા લગાવતા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહી રહ્યા છે કે, તે બજરંગબલીના ભક્તોને તાળાંમાં બંધ કરવાનો પ્રયાસ છે. આ દરમિયાન ABP ન્યૂઝ માટે C વૉટરે સરવે કર્યું કે બજરંગ દળ પર બેન લગાવવાના કોંગ્રેસના વાયદાથી કોંગ્રેસને નુકસાન થશે કે ફાયદો? તેના પર 37 ટકા લોકોએ ફાયદો થવાની વાત કહી છે. તો 44 ટકા લોકોએ કહ્યું કે, તેનાથી કોંગ્રેસને નુકસાન થશે, તો બીજી તરફ 19 ટકા લોકોએ કહ્યું કે, અત્યારે કશું કહી નહીં શકાય.

બજરંગ દળ પર બેનનો વાયદા કરવાથી કોંગ્રેસને નુકસાન થશે કે ફાયદો?

ફાયદો: 37 ટકા

નુકસાન: 44 ટકા

ખબર નહીં: 19 ટકા

શું છે મામલો?

કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં કહ્યું કે, ‘કોઈ વ્યક્તિ કે બજરંગ દળ, PFI અને નફરત તેમજ શત્રુતા ફેલાવતા બીજા સંગઠન, ભલે તે બહુમતીઓ વચ્ચે હોય કે લઘુમતીઓ વચ્ચેના હોય, તેઓ કાયદા અને સંવિધાનનું ઉલ્લંઘન નહીં કરી શકે. અમે એવા સંગઠનો પર કાયદા હેઠળ પ્રતિબંધ લગાવવા સહિતની નિર્ણાયક કાર્યવાહી કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (3 મેના રોજ) કર્ણાટકમાં પોતાની ત્રણેય જનસભાઓ દરમિયાન ‘જય બજરંગબલી’ના નારા લગાવ્યા. તેનાથી એક દિવસ અગાઉ એટલે કે 2 મે, મંગળવારના રોજ વિજયનગર જિલ્લાના હોસપેટેમાં કહ્યું હતું કે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં બજરંગબલીને તાળામાં બંધ કરવાનો નિર્ણય લીધો છે.

કોંગ્રેસે શું કહ્યું?

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમારે કહ્યું કે, સરકાર આવવા પર રાજ્યમાં હનુમાન મંદિર બનાવીશું. કર્ણાટકમાં એક જ ચરણમાં ચૂંટણી અને તેનું પરિણામ 13 મેના રોજ આવશે. ઉલ્લેખનીય છે કે, ABP ન્યૂઝ માટે C વૉટરે સરવેમાં 8 હજાર 272 લોકો સાથે વાત કરી હતી. સરવે ગુરુવારે આખો દિવસ કરવામાં આવ્યો હતો. આ સરવેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ 3 થી પ્લસ માઇનસ 5 ટકા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.