કર્ણાટકમાં ગર્જ્યા શાહ, કહ્યું- જો કોંગ્રેસ આવશે તો ફરી દંગા થશે

કર્ણાટકના બાગલકોટમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યમાં પીએફઆઈની ગતિવિધિઓ પર અંકુશ લગાવવા માટે PM નરેન્દ્ર મોદીના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. કર્ણાટકમાં BJP માટે પ્રચાર કરતા અમિત શાહે કહ્યું કે, રાજ્ય પીએફઆઈથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત હતું અને કોંગ્રેસે છેલ્લાં 70 વર્ષોથી તેના વિશે કંઈ જ કર્યું નથી. જ્યારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સવારે એ તમામને જેલમાં નાંખી દીધા. કર્ણાટક વિધાનસભા ચૂંટણી અંગે અમિત શાહે કહ્યું કે, આ વિધાનસભાની ચૂંટણી માત્ર એક ધારાસભ્ય પસંદ કરવા માટેની ચૂંટણી નથી પરંતુ, રાજ્યના ભવિષ્યને PM મોદીના હાથોમાં સોંપવા માટેની નિર્ણાયક ચૂંટણી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, આ કર્ણાટકને એક વિકસિત રાજ્ય બનાવવા અને અહીં રાજકીય સ્થિરતા લાવવા માટેની ચૂંટણી છે. જો કોંગ્રેસ કર્ણાટકમાં સત્તામાં આવશે, તો રાજ્યમાં ભ્રષ્ટાચાર, તૃષ્ટિકરણની રાજનીતિ, પારીવારિક રાજનીતિ અને દંગા હંમેશાં ચરમ પર હશે. અમિત શાહે બાગલકોટમાં જનતા દળ (એસ) પર પણ જોરદાર નિશાનો સાધ્યો હતો. અમિત શાહે કહ્યું કે, જનતા દળ (એસ) ને વોટ આપવાનો મતલબ પોતાનો વોટ કોંગ્રેસને આપવો એવો છે. જો તમે ના ઇચ્છતા હો કે તમારો વોટ કોંગ્રેસને જાય તો કર્ણાટકના સમગ્ર વિકાસ માટે BJP ને વોટ આપજો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને BJP નેતા અમિત શાહે કહ્યું કે, BJP ના કેટલાક નેતાઓના કોંગ્રેસમાં ગયા બાદ તેમને લાગે છે કે તેનાથી કોંગ્રેસને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. પરંતુ, હકીકતમાં એવુ કંઈ જ નહીં થશે. અમિત શાહે કહ્યું કે, જ્યારે તમે BJP છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા નેતાઓના ભરોસે ચૂંટણી લડો છો તો એ સ્પષ્ટ રીતે દેખાય છે કે તમારી પાર્ટી (કોંગ્રેસ) માં દેવાળિયુ છે. કર્ણાટક સરકારે મુસલમાનો માટે 4% OBC આરક્ષણને સમાપ્ત કરવાના નિર્ણય પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, અમારું માનવુ છે કે, ધર્મના આધાર પર આરક્ષણ ના આપવુ જોઈએ.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના પ્રવાસ પર છે. રવિવારે રાત્રે તેઓ બેંગલુરુ પહોંચ્યા હતા. સોમવારે સવારે સૌથી પહેલા મૈસૂર ગયા અને શ્રી ચામુંડેશ્વરી દેવી મંદિરમાં પૂજા કરી. ત્યારબાદ તેઓ ચામરાજનગર જિલ્લાના ગુંડલુપે પહોંચ્યા. જ્યાં તેમણે પહેલો રોડ શો કર્યો હતો. ત્યારબાદ તેઓ સકલેશપુર પહોંચ્યા હતા, જ્યાં પણ તેમણે બીજો રોડ શો કર્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.