કર્ણાટકમાં અપશુકનિયાળ રહી છે સ્પીકરની ખુરશી, વિધાનસભા અધ્યક્ષ બનતા ખચકાય છે નેતા

કર્ણાટકમાં કોંગ્રેસના જે કોઈ વરિષ્ઠ નેતાને સ્પીકર પદની રજૂઆત કરવામાં આવી રહી છે, તેઓ આ જવાબદારી લેવાની ના પાડી રહ્યા છે. જાણકારો મુજબ, તેમને આ ખુરશી સાથે જોડાયેલી મનહૂસિયતનો ડર સતાવી રહ્યો છે. કર્ણાટકમાં વિધાનસભા અધ્યાક્ષ બનનારા નેતાઓને આગામી ચૂંટણીમાં હાર મળી છે અને તેમનું રાજનૈતિક કરિયર પૂરી રીતે સમાપ્ત થઈ ગયું છે. ગત ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં વિધાનસભાના અધ્યક્ષ રહેલા વિશ્વેશ્વર હેગાડે કાગેરી પણ ચૂંટણી હારી ગયા.

તેમની હારે પાર્ટીને ઝટકો આપ્યો અને એક મજબૂત નેતાના રૂપમાં તેમની તાકત પર સવાલ ઊભા કરી દીધા. રાજનૈતિક જાણકારોનું કહેવું છે કે, વર્ષ 2004 બાદ જે પણ આ પ્રતિષ્ઠિત પદ પર બેઠું, તેને પોતાનું રાજનૈતિક કરિયરમાં જોરદાર ઝટકો લાગ્યો છે. કે.આર. પેટ સીટથી કૃષ્ણા, જે એસ.એમ. કૃષ્ણાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકરમાં વર્ષ 2004માં વિધાનસભાના અધ્યક્ષ બન્યા હતા, તેઓ વર્ષ 2008માં ચૂંટણી હારી ગયા. વર્ષ 2013માં વિધાનસભાના અધ્યક્ષ બનનારા વરિષ્ઠ કોંગ્રેસી નેતા કગોડૂ થિમ્મપ્પા વર્ષ 2018માં ચૂંટણી હરી ગયા.

વર્ષ 2016માં આ ખુરશી પર બેસનાર 5 વખતના ધારાસભ્ય કે.બી. કોલીવાડ પણ વર્ષ 2018માં સામાન્ય ચૂંટણી હારી ગયા અને વર્ષ 2019માં પેટાચૂંટણી પણ હારી ગયા. કોંગ્રેસ-JDS સરકારમાં વર્ષ 2018 સ્પીકર રહેલા રમેશ કુમાર 10 મેના રોજ થયેલી ચૂંટણીમાં હારી ગયા હતા. કોંગ્રેસ પાર્ટીને પદ માટે વરિષ્ઠોને મનાવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ જાહેરાત કરી હતી કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આર.વી. દેશપાંડે સોમવારે શરૂ થઈ રહેલા વિધાનસભાના 3 દિવસીય પહેલા સત્રમાં અસ્થાયી અધ્યક્ષ બનશે અને સત્ર દરમિયાન નવા અધ્યક્ષની ચૂંટણી થશે.

કોંગ્રેસના પદાધિકારીઓએ જણાવ્યું કે, ડૉ. જી પરમેશ્વરે સીધી રીતે પ્રસ્તાવાનો અસ્વીકાર કરી દીધો અને તેમને કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા. પાર્ટી ટી.બી. જયચંદ્ર, એચ.કે. પાટીલ, બી.આર. પાટીલ અને વાઈ.એન. ગોપાલકૃષ્ણ જેવા વરિષ્ઠ નેતાઓમાંથી કોઈ એકને સ્પીકર બનાવવા પર વિચાર કરી રહી છે. જો કે, તેમાંથી કોઈ પણ ઇચ્છુક નથી. જયચંદ્ર જે વર્ષ 2019ની પેટાચૂંટણીમાં પોતાની સીટ ભાજપ સામે હારી ગયા હતા, આ વખત જીત મળી છે. એચ.કે. પાટીલ ગદગથી એક પ્રમુખ લિંગાયત નેતા છે અને તેમને કેબિનેટમાં સામેલ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બી.આર. પાટિલ અલાંદ મતવિસ્તારથી છે.

પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર અને ભાજપના વરિષ્ઠ નેતા કે.જી. બોપૈયા જે કર્ણાટકમાં ભાજપ સરકારમાં સ્પીકર હતા. હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણીમાં હારી ગયા, જેથી તેમના રાજનૈતિક કરિયરને ઝટકો લાગ્યો છે. જાણકારોનું કહેવું છે કે, જે નેતાઓને પદની રજૂઆત કરવામાં આવી રહી છે, તેઓ અધ્યક્ષ બનવાની જગ્યાએ ધારાસભ્ય બન્યા રહેવાનું પસંદ કરશે. કેબિનેટ વિસ્તારમાં મંત્રી પદની આશા પણ એક કારણ છે, પરંતુ મુખ્ય રૂપે મનહૂસિયતનો ડર છે જે તેમને સ્પીકરની જવાબદારી લેતા રોકી રહી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.