PMના નામ પર વોટ માગનારા ભાજપના નેતાઓને ચપ્પલોથી મારો: શ્રીરામ સેના પ્રમખ

આ વર્ષે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી થવાની છે. પાર્ટીઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રીય હિન્દુ સેના નામના સંગઠનના પ્રમુખ પ્રમોદ મુથાલિકનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે રાજ્યના ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર વોટ માગવાનો આરોપ લગાવ્યો છે. એક રિપોર્ટ મુજબ, મુથાલિકે ભાજપના નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અને ફોટોનો ઉપયોગ કર્યા વિના વોટ હાંસલ કરવાનો પડકાર આપ્યો છે.

મહારાષ્ટ્રના કારવાર શહેરમાં પ્રમોદ મુથાલિકે નિવેદન આપતા કહ્યું હતું કે, આ વખત મોદીનું નામ લીધા વિના વોટ માગો. પેમ્ફ્લેટ અને બેનરમાં મોદીનો ફોટો ન હોવો જોઇએ. મતદાતાઓને કહો કે, તમે વિકાસ કર્યો છે, તમે ગાયોને બચાવી છે. તમે હિન્દુત્વ માટે કામ કર્યું છે. છાતી ઠોકી ઠોકીને વોટ માગવાનો પ્રયાસ કરો. એ આધાર પર કે તમે એટલું કામ કર્યું છે. તેમણે આગળ કહ્યું કે, તેઓ વડાપ્રધાનનું નામ લીધા વોટ ન માગે એવું નહીં થાય, તેઓ ફરી તમારા દરવાજા પર આવશે. કહેશે કે કૃપયા તમારો વોટ મોદીને આપો.

પ્રમોદ મુથાલિકે કહ્યું કે, તેઓ મોદીનું નામ લે તો તેમને ચપ્પલોથી મારો. તેઓ બધા નાલાયક છે. આ નાલાયક લોકો મોદીનું નામ લે છે, પરંતુ પોતાના કાર્યકર્તાઓની પરેશાની ક્યારેય નહીં સમજે. ત્યારબાદ પ્રમોદ મુથાલિકે લોકોને ભાજપના પક્ષમાં વોટ ન કરવા કહ્યું. આરોપ લગાવ્યો કે, પાર્ટી માત્ર મોદીનું નામ લેવાનું જાણે છે. બીજી તરફ ચૂંટણી પહેલા તૈયારી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાર્ટી નેતાઓને કહ્યું કે, તેઓ જૂના મૈસૂર ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે, જે કોંગ્રેસ અને JDSનું ગઢ છે.

અમિત શાહે ક્ષેત્રના પાર્ટી નેતાઓને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે, ભાજપ ત્યાં નંબર વન પાર્ટી બનીને આગળ આવે. આ પહેલી વખત નથી જ્યારે પ્રમોદ મુથાલિકે વિવાદિત નિવેદન આપ્યું હોય. 20 ફેબ્રુઆરી 2023ના રોજ પણ કર્ણાટકમાં પ્રમોદ મુથાલિકે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે રાજ્યમાં હિન્દુ પુરુષોને ‘લવ જિહાદ’નો સામનો કરવા માટે મુસ્લિમ છોકરીઓને ફસાવવાનું આહ્વાન કર્યું અને તેમને સુરક્ષાનું આશ્વાસન પણ આપ્યું હતું.

બગલકોટમાં એક જનસભાને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, આપણે સ્પષ્ટ રૂપે જાણીએ છીએ કે, કર્ણાટકમાં શું થઇ રહ્યું છે અને મારી પાસે તેનું સમાધાન છે. જો આપણે લવ-જિહાદમાં એક હિન્દુ છોકરી ગુમાવી દઇએ છીએ તો આપણે તેનો બદલો લેવા માટે 10 મુસ્લિમ મહિલાઓને ફસાવવી પડશે. જો એમ થાય છે તો શ્રીરામ સેના એવા લોકોને સુરક્ષા અને રોજગાર પણ આપશે. આપણે બાહ્ય તાકતોથી પોતાના ધર્મની સુરક્ષા કરવી પડશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.