રૂપાલાની ટિકિટ ન કાપતા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ હવે શું કરશે, આ પ્લાન કર્યો જાહેર

ગુજરાતની રાજકોટ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજે BJPનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ક્ષત્રિય સમાજ સંગઠન સમિતિએ નોમિનેશનના છેલ્લા દિવસે અંતિમ તારીખ પછી આ માહિતી આપી હતી. જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો હવે ક્ષત્રિય સમાજ તમામ 26 બેઠકો પર BJP વિરુદ્ધ મતદાન કરશે. સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ 7મી મે સુધી વ્યવસ્થિત રીતે ઉપવાસ કરશે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ નિર્ણય લીધો છે કે, અન્ય સમુદાયો પાસેથી પણ સમર્થન માંગવામાં આવશે. લાંબા આંદોલનને કારણે ક્ષત્રિય સમાજે મહિલાઓની અલગ ટીમ બનાવવાની જાહેરાત કરી હતી. 18 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરષોત્તમ રૂપાલાનો બચાવ કર્યો હતો. તેમણે ગાંધીનગર રોડ શોમાં કહ્યું હતું કે, રૂપાલાએ દિલથી માફી માંગી છે.

ક્ષત્રિય સમાજ સંગઠન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ઉપવાસના તમામ જિલ્લાઓમાં રથયાત્રા કાઢવામાં આવશે. જેમાં અમે લોકોને BJPનો બહિષ્કાર કરવાની અપીલ કરીશું. ચાવડાએ કહ્યું કે, અમે અમારા આંદોલનને અન્ય રાજ્યોમાં લઈ જઈશું. ચાવડાએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના આંદોલનથી સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી નહીં પડે. ચાવડાએ BJPના 400ને પાર કરવાના નારા પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, અમે તેમને 250 સુધી ઘટાડીશું. ગુજરાતમાં ક્ષત્રિય સમાજે 23 માર્ચે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ ઉઠાવી હતી. આ પછી 14 એપ્રિલે રાજકોટમાં એક વિશાળ ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી સંકલન સમિતિએ BJPને 19 એપ્રિલની સમયમર્યાદા આપી હતી. સમિતિએ 120 સંસ્થાઓ અને સમાજના આગેવાનોની બેઠક પછી આંદોલન ભાગ 2ની જાહેરાત કરી હતી. અમદાવાદમાં યોજાયેલી આ બેઠક બે કલાક સુધી ચાલી હતી.

ક્ષત્રિય સમાજે 20 એપ્રિલથી રાજ્યમાં આંદોલનનો ભાગ 2 શરૂ કરવાની જાહેરાત કરી છે. ક્ષત્રિય સમાજની વિવિધ મહિલાઓ 7મી મે સુધી એક દિવસના ઉપવાસ કરશે. ગુજરાતમાં BJPના દરેક કાર્યક્રમમાં ભગવાન શ્રી રામની તસવીર સાથે ભગવો ધ્વજ લઈને વિરોધ કરવામાં આવશે. 22મી એપ્રિલથી ગુજરાતભરના અલગ-અલગ ઝોનમાં ધરમ રથ કાઢવામાં આવશે અને BJPને મત ન આપવા અપીલ કરવામાં આવશે. BJPને હરાવનારને સમાજ વતી મત આપવાનું કહેવામાં આવશે. 5 મે સુધી ગુજરાત તેમજ દેશભરમાં ક્ષત્રિય સમાજ અલગ અલગ રીતે BJP વિરુદ્ધ પ્રચાર કરશે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.