માલદીવના નવા રાષ્ટ્રપતિએ ભારતીય દૂતને પહેલી જ મુલાકાતમાં દેખાડ્યા તેવર

ભારત વિરોધી વલણ અપનાવીને માલદીવના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતેલા મોહમ્મદ મુઇજ્જુએ ફરી એક વખત પોતાના તેવર દેખાડ્યા છે. બુધવારે માલદીવમાં ભારતના ઉચ્ચાયુક્ત મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ કહ્યું કે, માલદીવે નિર્ણય લીધો છે કે તે પોતાની સંપ્રભુતાની રક્ષા કરશે અને મને આશા છે કે, ભારત આ નિર્ણયનું સન્માન કરશે. ચૂંટણી જીતવાના એક દિવસ બાદ જ તેમણે જાહેરાત કરી હતી કે, વિદેશી સૈનિકોએ માલદીવથી બહાર જતું રહેવું જોઈએ.

મોહમ્મદ મુઇજ્જુનો સીધો ઈશારો ભારતીય સેના તરફ હતો. ભારતના 75 સૈન્ય અધિકારી માલદીવમાં રહે છે, જે ભારતીય એરક્રાફ્ટનું સંચાલન અને દેખરેખ કરે છે. માલદીવમાં ભારતના ઉચ્ચાયુક્ત મુનુ મુહાવરે બુધવારે માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇજ્જુ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ મુનુ મુહાવરે કહ્યું હતું કે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સાથે મળીને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શુભેચ્છા આપી છે. મુનુ મુહાવર ત્રીજા ઉચ્ચાયુક્ત છે, જેમણે માલદીવના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે.

આ અગાઉ બ્રિટિશ ઉચ્ચાયુક્ત કેરન રોહસ્લ અને ચીની રાજદૂત વાંગ લિક્સિને તેમની સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ કહ્યું કે, ‘મને આશા છે કે સંપ્રભુતાના સન્માનના સિદ્ધાંતોના આધાર પર આપણે માલદીવ અને ભારતના સંબંધો નવી રીતે સ્થાપિત કરીને બંને દેશો વચ્ચે સંબંધોને નવી ઊંચાઇઓ સુધી પહોંચાડવામાં સફળ રહીશું. માલદીવે નિર્ણય લીધો છે કે તે પોતાની સંપ્રભુતાની રક્ષા કરશે અને આશા છે કે ભારત આ નિર્ણયનું સન્માન કરશે.

એ સિવાય માલદીવના રાષ્ટ્રપતિ મુઇજ્જુએ મોહમ્મદ સોહિલ સરકાર દ્વારા ભારત માટે લોનના પુનર્ગઠનની પણ આશા વ્યક્ત કરી છે. ભારતના ઉચ્ચાયુક્ત મુહવારે પણ ભારત-માલદીવના સંબંધોને વધારવા અને માલદીવના વિકાસમાં ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. વર્ષ 2018માં માલદીવમાં મોહમ્મદ સોહિલની સરકાર બન્યા બાદથી ભારતે ‘નેબરહૂડ ફર્સ્ટ નીતિ’ હેઠળ માલદીવની ઘણી પરિયોજનાઓ માટે ભારે મદદ કરી છે. માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામને ભારત માટે એક પ્રકારના ઝટકા તરીકે જોવામાં આવે છે.

માલદીવના રાષ્ટ્રપતિ મુઇજ્જુએ ગયા વર્ષે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓ સાથે એક બેઠકમાં કહ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં વાપસી કરે છે તો બંને દેશો (ચીન-માલદીવ) વચ્ચે સંબંધોમાં વધુ એક અધ્યાય જોડાશે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને મોહમ્મદ મુઇજ્જુના રાજનીતિક ગુરુના રૂપમાં જોવામાં આવે છે. અબ્દુલ્લા યામીનના કાર્યકાળ દરમિયાન માલદીવે નિર્માણ પરિયોજનાઓ માટે ભારતના અનુરોધને ઠુકરવતા ચીન પાસે ખૂબ ઉધાર લીધું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.