ચૂંટણી અગાઉ CM શિવરાજની મોટી જાહેરાત, MPમાં મળશે 450 રૂપિયાનો ગેસ સિલિન્ડર

મધ્ય પ્રદેશમાં ખરગોનમાં જન આશીર્વાદ યાત્રા દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે, હવે માત્ર ઉજ્જ્વલા યોજનાવાળાઓને પણ હંમેશાં 450 રૂપિયામાં ઘરેલુ ગેસ સિલિન્ડર મળશે. તેના માટે લિસ્ટ તૈયાર કરાવી રહ્યા છે. ભાજપની જન આશીર્વાદ યાત્રા શનિવારે જિલ્લાના બડવાહ વિધાનસભાના સનાવદ પહોંચી હતી. તેમાં રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ સામેલ થયા હતા. અહી તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય, ખરગોનના સાંસદ ગજેન્દ્ર સિંહ પટેલ, ખંડવાના સાંસદ જ્ઞાનેશ્વર પાટીલ, બડવાહના ધારાસભ્ય સચિન બિરલા સહિત અન્ય નેતાઓ પણ આ રથ પર સવાર થયા અને રોડ શૉ કર્યો. આ દરમિયાન મુખ્યમંત્રીનું ઠેર-ઠેર સ્વાગત થયું. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ રોડ શૉ દરમિયાન બંને તરફ ઊભી જનતાનું અભિવાદન કર્યું. લગભગ એક કલાક સુધી ચાલેલા રોડ શૉ બાદ મુખ્યમંત્રીનું રથ કૃષિ ઉત્પાદન માર્કેટ પરિશ્રમ પહોંચ્યું. ત્યારબાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહે સભાને સંબોધિત કરી.

તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની સામાન્ય જનતાને જાણકારી આપી. મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોને મુખ્યમંત્રી કહ્યું કે 10 તારીખે બહેનોની જિંદગી બદલાવાનો દિવસ છે. કેબિનેટે નક્કી કર્યું છે કે મુખ્યમંત્રી આવાસ યોજના, PM આવાસ યોજનાથી વંચિત લોકોને લાભ આપવામાં આવશે. સાથે જ 60 ટકા માર્ક્સ લવાનારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને લેપટોપ આપશે. દરેક શાળાના 3 બાળકોને સ્કૂટી પણ આપવામાં આવશે. મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કૉલેજ સિવાય અન્ય કોઈ પણ મોટી શિક્ષણ સંસ્થામાં ગરીબ ભાઈ-બહેનોના બાળકો એડમિશન લેશે તો તેની ફીસ મધ્ય પ્રદેશની ભાજપ સરકાર ભરશે. આ બાળકો કોઈ પણ જાતિ-ધર્મના હોય શકે છે.

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પર પ્રહાર કરતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ગરીબ બહેનો સાથે જોડાયેલી એ બધી યોજનાઓ જે કમલનાથ સરકારે છીનવી હતી, એ પણ ચાલુ કરી દેવામાં આવી છે. તીર્થ યાત્રા બંધ થઈ ગઈ હતી. હવે અમે હવાઈ યાત્રા કરાવી રહ્યા છીએ.  અમે આયુષ્યમાં યોજનામાં પણ વિસ્તાર કર્યો છે, જે ગરીબ અને ખેડૂત છે એ બધાને જોડીને 5 લાખ રૂપિયા સુધીની સારવાર વર્ષમાં ફ્રી કરાવવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજે પૂછ્યું કે, કમલનાથે વાયદો કર્યો હતો કે દેવા માફીનો, શું વાયદો પૂરો કર્યો? કોંગ્રેસે તો ગર્ભવતી મહિલાઓના ખાતામાં આવનારા 16 હજાર છીનવી લીધા. કન્યાદાનના 51 હજાર ન આપ્યા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.