ભાજપના ધારાસભ્યએ વિધાનસભામાં કહ્યું- 'મણિપુરથી કોઈ ફરક નથી પડતો'

મણિપુર મહિનાઓથી સળગી રહ્યું છે અને દેશભરમાં તેની ચર્ચા ચાલી રહી છે, પરંતુ રાજકારણીઓ મણિપુરના  મામલે પોતાનો રાજકીય રોટલો શેકવાથી ઉંચા આવતા નથી. દિલ્હી વિધાનસભામાં ગુરુવારે મણિપુરના મુદ્દા પર ભારે હંગામો મચી ગયો હતો.

દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે મણિપુર હિંસા પર ચર્ચા શરૂ થાય તે પહેલા ભાજપના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભાજપના ધારાસભ્યએ કહ્યું કે મણિપુરથી કોઈ ફરક નથી પડતો. આ દિલ્હીની બહારનો મામલો છે. દિલ્હી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર રાખી બિરલાએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.આ સાથે AAP નેતાઓએ પણ ભાજપના ધારાસભ્યોની આકરી નિંદા કરી છે.

ભાજપના ધારાસભ્યના આ નિવેદન પર આપ નેતા ગોપાલ રાયે કહ્યું કે મણિપુર છેલ્લા 100 દિવસથી વધુ સમયથી હિંસાની આગમાં સળગી રહ્યું છે અને ભાજપના નેતાઓ ગૃહમાં કહે છે કે, 'મણિપુરથી અમને કોઈ ફરક નથી પડતો'. ભાજપ આટલી સંવેદનહીન કેમ બની ગઈ? આજે મણિપુરમાં કોઈને ખબર નથી કે તેના પુત્રની હત્યા ક્યારે થશે, દિકરીની ઇજ્જત ક્યારે જશે અને ભાજપના ધારાસભ્ય કહે છે કે મણિપુર માયને નહીં રખતા.

ગોપાલ રાયએ આગળ કહ્યુ કે, આ સાથે ભાજપના મોટા નેતાઓ અને વડાપ્રધાને પણ આ અંગે મૌન સેવ્યું હતું. ભાજપના ધારાસભ્યનું કહેવું છે કે મણિપુરનો મુદ્દો દિલ્હીની બહારનો મામલો છે, તો  તેમને જણાવી દઈએ કે દિલ્હી દેશની રાજધાની છે અને કાશ્મીરથી લઈને દરેક મુદ્દા પર દિલ્હીમાં ચર્ચા થઈ છે.

દિલ્હી વિધાનસભામાં દિલ્હીનામ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક  અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપના ધારાસભ્યો કહી રહ્યા છે કે મણિપુરથી તેમને કોઈ ફરક નથી પડતો અને વિધાનસભા છોડીને ચાલ્યા ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ છે કે તેમને મણિપુર સાથે કોઈ લેવાદેવા નથી. મણિપુરના લોકોના હૃદય પર શું વીતિ રહી હશે. તેમણે કહ્યું કે મણિપુરની ઘટના પર વડાપ્રધાન મૌન છે.

મણિપુર મુદ્દે ગૃહમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ચાર ધારાસભ્યોને માર્શલ દ્વારા દિલ્હી વિધાનસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. મણિપુર મુદ્દે દિલ્હી વિધાનસભામાં ભારે હોબાળો ચાલી રહ્યો છે. ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલની સરકાર વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.