પોતાની જ સરકાર સામે BJPના 9 MLAએ PMને પત્ર લખ્યો, પછી બીજા દિવસે 8 MLAએ.....

મણિપુરમાં છેલ્લાં દોઢ મહિનાથી ભડકેલી હિંસા અટકવાનું નામ નથી લેતી. મૈતેઇ સમુદાયના ભાજપના9 ધારાસભ્યોએ પોતાની જ સરકાર સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યુ હતું કે લોકોનો રાજ્ય સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જો કે 9માંથી 8 ધારાસભ્યોએ બીજા દિવસે પલટી મારી દીધી હતી.

અધિકારીઓએ કહ્યું કે હજુ પણ થંગજિંગ અને ગેલજેંગ જેવા બે સ્થળોએ અટકી અટકીને ગોળીબાર ચાલી રહ્યો છે.આ વચ્ચે ભાજપના જ 9 ધારાસભ્યોએ પોતાની સરકાર સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો કે લોકોનો મુખ્યમંત્રી બીરેન સિંહ પર વિશ્વાસ ઉઠી ગયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા રવાના થયા તેના એક દિવસ પહેલા PM મોદીને લખેલા પત્રમાં 9 ધારાસભ્યોએ કહ્યુ હતુ કે, વર્તમાન સરકાર અને તંત્રમાં લોકોને હવે કોઇ વિશ્વાસ રહ્યો નથી. કાયદાને અનુસરીને યોગ્ય વહીવટ અને કાર્ય માટે અમુક વિશેષ પગલાં લઇ શકાય જેથીસામાન્ય લોકોનો વિશ્વાસ અને વિશ્વાસ પુનઃસ્થાપિત થઇ શકે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખનાર મણિપુરના મૈતેઇ સમાજના 9 ધારાસભ્યોમાં કરમ શ્યામસિંહ, રાધેશ્યામ સિંહ, નિશિકાંત સિંહ, રઘુમણિ સિંહ, એસ, બ્રોજેન સિંહ, ટી રોબિન્દ્રો સિંહ, એસ રાજેન સિંહ, એસ કેબી દેવી અને ડો. વાઇ રાધેશ્યામનો સમાવેશ થાય છે.

બીરેન સિંહ-સરકારને નિષ્ફળ ગણાવતા આ  આવેદનને મણિપુર ભાજપમાં અસંતોષના બીજા એપિસોડ તરીકે જોવામાં આવે છે. આખી વાતમાં ટ્વીસ્ટ ત્યારે આવ્યો જ્યારે, 20 મેના રોજ, હસ્તાક્ષર કરનારા નવમાંથી આઠ ધારાસભ્યો 30 ભાજપના ધારાસભ્યોના એ જૂથમાં જોડાયા જેઓ મુખ્ય પ્રધાનના કટ્ટર સમર્થક તરીકે જાણીતા છે. બધા એકતા દર્શાવતા મીડિયાની સામે ભેગા થઇ ગયા હતા અને કહ્યું હતું કે મણિપુરના મુદ્દાના ઉકેલ માટે અમે બધા એક છીએ.

આ આવેદન પત્ર તે જ દિવસે વડા પ્રધાનને સુપરત કરવામાં આવ્યું હતું જ્યારે બિરેન સિંહના વફાદાર મૈતેઇ ધારાસભ્યો દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને મળ્યા હતા. તેમણે સસ્પેન્શન ઓફ ઓપરેશન (SOO) હેઠળ કુકી બળવાખોર જૂથો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. મોટાભાગના મૈતેઇ જૂથો દાવો કરે છે કે કુકી આતંકવાદીઓનો હિંસા પાછળ હાથ છે. બીજા દિવસે 20 જૂને 9માંથી 8 ધારાસભ્યો મુખ્યમંત્રીના સમર્થક ગ્રુપમાં જોડાઇ ગયા હતા અને પાર્ટીના મહાસચિવ બી એલ સંતોષને મળ્યા હતા. તેમણે કહ્યું કે અમને ગુમરાહ કરવામાં આવ્યા હતા. 9 ધારાસભ્યોમાંથી માત્ર રાધેશ્યામ સિંહ જ બી એલ સંતોષને મળ્યા નહોતા.

એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં રાધેશ્યામ સિંહે કહ્યું કે બે લડતા સમુદાયોએ ત્રીજા પક્ષનો સંપર્ક કરવો જોઈએ અને બંને સમુદાયના ધારાસભ્યોએ રાજ્યમાં સમાધાન અને શાંતિ માટે વાટાઘાટો કરવી જોઈએ. તેમણે કહ્યું કે, હિંસા શરૂ થઈ ત્યારથી બે કુકી મંત્રીઓએ ઈમ્ફાલની મુલાકાત લીધી નથી. જો તેઓ ઇમ્ફાલ નહીં જઈ શકે તો સરકારનું કામ અટકી જશે. શું આપણે કુકીને સામેલ કર્યા વિના શાંતિ અને ઉકેલ મેળવી શકીએ? પાંચ મુદ્દાના આવેદન પત્રમાં, ધારાસભ્યોએ કુકી ધારાસભ્યો અને મૈતેઇ ધારાસભ્યો વચ્ચે બેઠક માટે વિનંતી કરી છે. તેઓએ મણિપુરના તમામ ભાગોમાં કેન્દ્રીય દળોની વ્યાપક તૈનાતની પણ માંગ કરી હતી.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.