ગુસ્સે ભરાયેલી ભીડે ભાજપના આદિવાસી ધારાસભ્ય પર કર્યો હુમલો, હાલત ગંભીર

મણિપુરમાં ભડકેલી હિંસાથી 8 જિલ્લા પ્રભાવિત છે. દિલ્હીથી રેપિડ એક્શન ફોર્સ (RAF)ની 5 કંપનીઓ મણિપુર મોકલવામાં આવી છે. આસામ રાઈફલ્સના જવાન અને સેનાએ પણ મોરચો સંભાળી રાખ્યો છે. સરકારે શૂટ એટ સાઇટનો પણ આદેશ આપ્યો છે. હિંસા દરમિયાન રાજધાની ઇમ્ફાલમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય વુંગજાગિન વાલ્ટે પર પણ ગુસ્સે ભરાયેલી ભીડે હુમલો કરી દીધો. આ હુમલો એવા સમયે થયો, જ્યારે મુખ્યમંત્રી એન. બીરેન સિંહ સાથે મુલાકાત કરીને ધારાસભ્ય રાજ્ય સચિવાલયથી પરત ફરી રહ્યા હતા.

વુંગજાગિન વાલ્ટે કુકી જનજાતિથી આવે છે અને એક આદિવાસી ધારાસભ્ય છે. ફિરજાવલ જિલ્લાના થાનલોનથી 3 વખતના ધારાસભ્ય વુંગજાગિન વાલ્ટે રાજધાની ઇમ્ફાલમાં પોતાના સરકારી આવાસ તરફ જઈ રહ્યા હતા ત્યારે જ ભીડે તેમના પર અને તેમના ડ્રાઈવર પર હુમલો કરી દીધો, જ્યારે તેમના PSO ભાગવામાં સફળ રહ્યો. આ ઘટના રિમ્સ રોડ પર થઈ, જ્યારે ભીડે તેમના વાહન પર હુમલો કરી દીધો. તેમની સાથે તેમના ચાલકને પણ ઢોર માર મારવામાં આવ્યો. તેમને તાત્કાલિક ઘટનાસ્થળ પરથી કાઢીને ઇમ્ફાલમાં RIMSમાં દાખલ કરાવવામાં આવ્યા, જ્યાં તેમની હાલત ગંભીર છે.

વિરોધ માર્ચના રૂપમાં એક અંગારાથી શરૂ થયેલી આગ ક્યારે હિંસામાં ફેરવાઇ ગઈ, ખબર ન પડી. ક્યાંક ઘરોમાં આગ ભભૂકતી નજરે પડી તો ક્યાંક ધૂમડાના ગોટેગોટા. બેકાબૂ ભીડે લક્ઝરી ગાડીઓને આગના હવાલે કરી દીધી. હિંસા બાદ બરબાદીના નિશાન ચારેય તરફ દેખાઈ રહ્યા છે. લગભગ 10 હજાર લોકોને હિંસા પ્રભાવિત વિસ્તારથી કાઢીને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. મણિપુરના 8 જિલ્લામાં કલમ 144 લાગૂ છે. 5 દિવસ માટે ઇન્ટરસેવા બંધ કરવામાં આવી છે. હાલત હાલમાં તણાવપૂર્ણ છે, પરંતુ નિયંત્રણમાં છે.

આ બધા હોબાળાની જડને ‘કબજાની જંગ’ પણ માની શકાય છે. તેને એવી રીતે સમજી શકાય કે મૈતેઇ સમુદાયની વસ્તી અહીં 53 ટકાથી વધારે છે, પરંતુ તેઓ માત્ર ઘડીમાં વસી શકે છે. તો નાગા અને કુકી સમુદાયની વસ્તી 40 ટકાની આસપાસ છે અને તે પર્વતીય વિસ્તારમાં વસ્યા છે, જે રાજ્યનો 90 ટકા વિસ્તાર છે. મણિપુરમાં એક કાયદો છે, જે હેઠળ આદિવાસીઓ માટે કેટલાક ખાસ પ્રાવધાન કરવામાં આવ્યા છે.

એ હેઠળ પર્વતીય વિસ્તારમાં માત્ર આદિવાસી જ વસી શકે છે. જો કે, મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો નથી. એટલે તેઓ પર્વતીય વિસ્તારમાં નહીં વસી શકે. જ્યારે નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાય ઈચ્છે તો ઘાટીવાળા વિસ્તારમાં જઈને રહી શકે છે. મૈતેઈ અને નાગ-કુકી વચ્ચે વિવાદનું આ જ અસલી કારણ છે એટલે મૈતેઈએ પણ પોતાને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાની માગ કરી હતી.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.