મનોજે રાહુલને આપી સલાહ- તમારી તુલના નાના-મોટા ગુનેગારો સાથે કરો સાવરકર સાથે નહીં

રાહુલ ગાંધીની લોકસભામાંથી સભ્યતા રદ્દ થાય બાદ 25 માર્ચના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર પ્રહાર કર્યો હતો. આ દરમિયાન તેમને પત્રકારોએ માફી માગવા પર સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે, મારું નામ રાહુલ ગાંધી છે, સાવરકર નહીં. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના આ નિવેદનની ખૂબ ચર્ચા થઇ રહી છે અને લોકો તેના પર પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે ગીતકાર મનોજ મુંતશીરે રાહુલ ગાંધીના આ નિવેદનને લઇને પલટવાર કર્યો છે.

રાહુલ ગાંધીના સાવરકરવાળા નિવેદન પર મનોજ મુંતશીરે કહ્યું કે, જ્યાં સુધી અનાવશ્યક રૂપે સાવરકરનું નામ ન લેવામાં આવ્યું, હું એ વિષય પર ચૂપ રહ્યો, પરંતુ હવે કહેવું પડશે કે યુવરાજ એક વખત દેશપ્રેમ માટે કાળા પાણી જાઓ. કોલ્હુમાં બળદની જેમ બુટ, 2 કટોરા પાણીમાં આખો દિવસ વિતાવો જેલની દીવાલો પર મા ભારતીની સ્તુતિમાં 6 હજાર કવિતાઓ લખો, પછી સાવરકર પર ટિપ્પણી કરજો. પોતાની તુલના કરવી છે તો કોઇ નાના મોટા ગુનેગાર સાથે કરો, તેની સાથે નહીં જે ભારત ભક્તિનો ગુનો કરીને ધન્ય થઇ ગયા હોય.

મનોજ મુંતશીરની આ ટ્વીટ પર તમામ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ સેવા દળ તરફથી લખવામાં આવ્યું કે, સાવરકરે અંગ્રેજોને માફીનામું લખીને જેલથી છોડવા મજબૂર કરી દીધા હતા. હકીકત તમે પણ જાણો છો, સાવરકરે કાળાપાણીમાં રહીને રાજનૈતિક બંદીઓથી દુરીઓ બનાવી લીધી હતી અને તેમણે કોઇ આંદોલનમાં સાથ આપ્યો નહોતો. ગૌરવ ગૌર નામના યુઝરે લખ્યું કે, તેના પર એક લાંબી ચર્ચા થવી જોઇએ કે આખરે સારું શું છે?

પ્રેસ કોન્ફરન્સ ન કરવું કે પછી સુવિધાજનક અને મેનેજ્ડ સવાલો સાથે રોજ પ્રેસ સામે બેસી જવાનું અને એક પણ અસહજ સવાલ મળતા જ ઉશ્કેરાઇને બહાર થઇ જવું, આ નિર્ણય જનતાએ કરવો જોઇએ. એક યુઝરે લખ્યું કે, કેમ બધા મહારાષ્ટ્રના લોકો ચૂપ છે? રાહુલજી પોતાના મહારાષ્ટ્રના સ્વતંત્રતા સેનાનીઓ અને નેતાઓનું ખુલ્લેઆમ અપમાન કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર રાહુલ ગાંધી પર ચૂપ કેમ છે? તેઓ માત્ર ભારતના નાગરિક છે, જેને અન્ય દોષીની જેમ કરવામાં આવેલા ગુના માટે સજા મળશે. એક યુઝરે લખ્યું કે, વડાપ્રધાન તાનાશાહની જેમ વર્તન કરી રહ્યા છે, રાહુલ ગાંધીને કળાપાણી મોકલી આપો, છતા તેઓ સાવરકરજીની જેમ માફી નહીં માગે.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.