ગુજરાતઃ AAPમાં જવું એ મોટી ભૂલ હતી, સસ્પેન્ડ કરાયેલા નેતાની કોંગ્રેસમાં ઘર વાપસી

આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ વશરામ સાગઠિયા ગુજરાત એકમ દ્વારા સસ્પેન્ડ કરાયાના  એક દિવસ બાદ બુધવારે કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. AAPએ સાગઠિયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ હાંકી કાઢ્યા હતા. રાજકોટના અગ્રણી દલિત નેતા સાગઠિયા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં અન્ય 50 AAP કાર્યકરો અને નેતાઓ સાથે પાર્ટીમાં જોડાયા હતા. સાગઠિયાને અમદાવાદમાં પ્રદેશ મુખ્યાલયમાં કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસમાં ઘર વાપસી કર્યા પછી સગઠિયાએ કહ્યું કે કોંગ્રેસમાં ફરી જોડાઈને તેઓ પાર્ટીમાં પાછા ફર્યા છે જે તેમના ઘર' સમાન છે. તેમણે એમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો તેમનો નિર્ણય  ભૂલભરેલો હતો. ત્રણ દાયકા સુધી કોંગ્રેસ સાથે રહેલા સાગઠિયા ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીએ તેમને તેના ગુજરાત એકમના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા અને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેમને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ટિકિટ પણ આપી હતી.

AAPએ મંગળવારે તેમને રાજ્ય એકમના પદ અને સભ્યપદ પરથી હટાવી દીધા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ પાર્ટીના હિતોની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. 'ઘર વાપસી' પછી સાગઠિયાએ કહ્યું કે કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીમાં જોડાવું તેમની ભૂલ હતી. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સાગઠીયા જેવા લોકો પક્ષની વિચારધારા સાથે પ્રતિબદ્ધ રહે તો તેમનું પક્ષમાં હંમેશા સ્વાગત છે.

ગુજરાત કોંગ્રેસના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં રાજકોટના નેતા વશરામ સાગઠિયા ઉત્સાહભેર જોડાયા હતા. એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એપછી આમ આદમી પાર્ટી ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાએ વશરામ સાગઠીયાના સસ્પેન્ડ કરતો પત્ર લખ્યો હતો. જો કે રાજકારણના જાણકારોનું કહેવું છે કે વશરામ સાગઠીયા ઇન્દ્રનીલ રાજ્યગુરુના નજીકના હોવાનું માનવામાં આવે છે, જ્યારે રાજકોટના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી ત્યારે જ માનવામાં આવી રહ્યું હતું કે વશરામ સાગઠીયા પણ ફરી કોંગ્રેસમાં જશે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કોંગ્રેસ છોડીને AAP જોઇન કરી હતી અને થોડા જ સમયમાં આમ આદમી પાર્ટી છોડી દીધી હતી. તે વખતે વશરામ સાગઠીયા AAPમાં જ રહ્યા હતા. પરંતુ જેવા શક્તિસિંહ ગોહિલના નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા કે સાગઠીયાએ કોંગ્રેસમાં જવાનું નક્કી કરી લીધું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.