જવાનોની શહીદીનો મોદી સરકાર બદલો લે, બિલાવલને ભારતમાં ન આવવા દે: શિવસેના

જમ્મૂ-કાશ્મીરમાં 20 એપ્રિલે ભારતીય સૈનિકો પર આતંકી હુમલો થયો હતો. જેને લીધા જમ્મૂ-કાશ્મીરના શિવસેના એકમે પાકિસ્તાનનો ધ્વજ અને PAFFના પુતળાં દહન કર્યા હતા અને મોદી સરકાર સામે માગ કરી છે કે જવાનોની શહીદીનો બદલો લેવામા આવે અને પાકિસ્તાનના નેતા બિલાવલને ભારતની ભૂમિ પર મુકવા દેવામાં ન આવે. આતંકવાદીઓના હુમલામાં સેનાના જવાનો શહીદ થવાને કારણે બધા દેશવાસીઓમાં રોષ છે.

જમ્મૂ-કાશ્મીમાં LOCને અડીને આવેલા પુંછ જિલ્લાના ભિમ્બર ગલી વિસ્તારમાં ગુરુવાર 20 એપ્રિલે એક સૈન્ય વાહન પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 5 ભારતીય જવાનો શહીદ થઇ ગયા હતા. આ હુમલાને લઇને શિવસેના ( ઉદ્ધવ ઠાકરે ગ્રુપ) ભડકી છે. જવાનો પરના આ હુમલાનો શિવસેનાની જમ્મૂ-કાશ્મીર યુનિટે જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું છે. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાની ધ્વજ અને હુમલાની જવાબદારી લેનાર જૈશે-એ મોહમંદના PAFFના પુતળાં ફુંક્યા હતા.

 શિવસેના પાર્ટી પ્રદેશ પ્રમુખ મનીષ સાહનીના નેજા હેઠળ જમ્મૂના રૂપનગરમાં આવેલા પાર્ટીના કાર્યાલય પાસે શિવ સૈનિકો ભેગા થયા હતા. તેમણે ભારતીય જવાનોની શહીદીની વકાલત કરીને પાકિસ્તાનન અને PAFF સામે નારા લગાવ્યા હતા. સાહનીએ કહ્યું કે પાકિસ્તાન ભારત સાથેના સીધા યુદ્ધમાં 3 વત હારી ચૂક્યું છે.

સાહનીએ કહ્યુ કે ભારત સામે ષડયંત્ર રચીને અને આતંકવાદને પ્રોત્સાહ આપીને પાકિસ્તાન કંગાળ છઇ ચૂક્યું છે. ખાવાની ચીજોના ભાવો પાકિસ્તાનમાં આસમાને છે. કંગાળ થઇ ગયેલું પાકિસ્તાન આંતરારાષ્ટ્રીય સ્તરે પણ નાદાર થવાની સ્થિતિમાં આવી ગયું છે. તેમણે આગળ કહ્યું કે ભારત સાથે સંબંધ સુધારવા પાકિસ્તાન કરગરી રહ્યું છે. પરંતુ આમ છતા કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધીઓ અંજામને લઇને પાકિસ્તાન સુધરતું નથી.

સહાનીએ કહ્યું કે પાકિસ્તાનની નાપાક હરકતોનો હવે ઘડો ભરાઇ ગયો છે અને હવે સમય આવી ગયો છે કે કેન્દ્રની મોદી સરકાર પાકિસ્તાન પર જોરદાર સૈન્ય કાર્યવાહી કરીને તેને પાઠ ભણાવે. સહાનીએ કહ્યું કે ભારતીય જવાનોના હત્યારા દેશથી આવતા બિલાવલ ભુટ્ટોને ભારતની ભૂમિ પર પગ મુકવાની મંજૂરી આપવામાં ન આવે.

આ પ્રસંગે મહિલા પાંખના પ્રમુખ મીનાક્ષી છિબ્બર, મહામંત્રી વિકાસ બક્ષી, કામદાર વિંગના પ્રમુખ રાજ સિંહ, શશી પાલ, ટીટુ સહગલ, મમતા, બિટ્ટુ ભટ, પ્રેમ, સરોજ, બંટી, રીતુ, શુશીલા, ભગવતી, રવિ, હરિન્દર, રમેશ વગેરે હાજર રહ્યા હતા. અન્ય ઘણા લોકો હાજર રહ્યા હતા.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.