લદ્દાખમાં ચીન વિરુદ્ધ મોદી સરકારની DDLJ નીતિ, કોંગ્રેસના નેતાએ સમજાવ્યો મતલબ

બે દિવસ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન લદ્દાખમાં ચીન સાથે સરહદ વિવાદ પર રાહુલ ગાંધીના નિવેદનની મજાક ઉડાવી હતી. જયશંકરે કહ્યું હતું કે, જે વિસ્તારો પર ચીનના કબ્જાની વાત તેઓ કરી રહ્યા છે તે 1962ની વાત છે, આજની નહીં. હવે જયશંકરના નિવેદન પર પલટવાર કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કેન્દ્ર પર સત્યનો સ્વીકાર ના કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, મે 2020 બાદથી લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી સામે લડવા નરેન્દ્ર મોદી સરકારની મનપસંદ રણનીતિ છે- DDLJ.

જયરામ રમેશે DDLJનો મતલબ પણ જણાવ્યો. તેમણે કહ્યું- મોદી સરકારનો મંત્ર છે- ડિનાઈ (ઈન્કાર), ડિસ્ટ્રેક્ટ (ધ્યાન ભટકાવવું), લાઈ (જુઠાણું) અને જસ્ટીફાઈ (ન્યાયોચિત ગણાવવું).

સોમવારે કોંગ્રેસે મોદી સરકાર પર નવો હુમલો કરતા બોલિવુડની પોપ્યુલર ફિલ્મ ‘DDLJ’નો નવો મીનિંગ શોધી કાઢ્યો. જયરામ રમેશે એક નિવેદનમાં કહ્યું, વિદેશ મંત્રી એસ. જયશંકરની કોંગ્રેસ પાર્ટી પર હુમલો કરનારી હાલની ટિપ્પણી મોદી સરકારની વિફળ ચીન નીતિ પરથી ધ્યાન હટાવવાનો નવીનતમ પ્રયાસ છે. સૌથી હાલનું રહસ્યોદ્ઘાટન એ છે કે, મે 2020 બાદથી ભારતે લદ્દાખમાં 65માંથી 26 પેટ્રોલિંગ બિંદુઓ સુધી પોતાની પહોંચી ગુમાવી દીધી છે.

રમેશે કહ્યું કે, તથ્ય એ છે કે 1962 સાથે આજની સરખામણી એવા સમયમાં કરવામાં આવી રહી છે, જ્યારે 2020થી ભારત પોતાના ક્ષેત્રની રક્ષા માટે ચીન સાથે સંઘર્ષ કરી રહ્યું છે. ભારતે તેના પર ઈન્કાર સાથે ચીની આક્રામકતાનો સ્વીકાર કરી લીધો છો. જયરામ રમેશે આ વાત જયશંકરના એ નિવેદનના થોડાં દિવસો બાદ જ કહી છે જેમા તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો જાણીજોઈને ચીન મુદ્દા વિશે ખોટા સમાચાર ફેલાવે છે. એ જાણવા છતા કે આ સત્ય નથી, આ બધુ રાજકારણ માટે કરવામાં આવી રહ્યું છે. 1962માં ચીને કબ્જો કર્યો હતો, તેને એવી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે જાણે આજની વાત છે. જયશંકરે આ ટિપ્પણી પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન કરી હતી. તેમણે ડાયરેક્ટ કોઈનું નામ નહોતું લીધું પરંતુ, માનવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધીના હાલના નિવેદન પર જયશંકર કમેન્ટ કરી રહ્યા હતા.

જયરામ રમેશે પૂછ્યું, 2017માં ચીનના રાજદૂતને મળવા માટે રાહુલ ગાંધી પર જયશંકરનું એવુ કહેવુ વિડંબણા છે કે, કોઈત એવા વ્યક્તિ તરફથી આવી રહ્યું છે જે ઓબામા પ્રશાસન દરમિયાન અમેરિકામાં રાજદૂતના રૂપમાં સંભવતઃ પ્રમુખ રિપબ્લિકનને મળ્યા હતા. શું વિપક્ષી નેતા ડિપ્લોમેટ્સને મળવાના હકદાર નથી? એવા દેશો જે વ્યાપાર, નિવેશ અને સુરક્ષાના દ્રષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે? કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મોદી સરકારે શરૂઆતથી જ ઈમાનદાર હોવુ જોઈતું હતું અને સંસદીય સ્થાયી સમિતિઓમાં ચીન સંકટ પર ચર્ચા કરીને અને સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરીને વિપક્ષને વિશ્વાસમાં લેવો જોઈતો હતો. તેમણે કહ્યું, આ પ્રમુખ રાજકીય પક્ષોના નેતાઓ માટે વિસ્તૃત બ્રીફિંગ કરવું જોઈતું હતું.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.