સાઉદી ક્રાઉન પ્રિન્સે પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવી દીધું, જાણો શું કર્યું

G20 શિખર સંમેલનમાં ભાગ લેવા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કર્યા બાદ સાઉદી અરેબિયા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાછા પોતાના દેશ ફરી ગયા છે. જો કે, તેમના સાઉદી અરબ પરત ફરતી વખત પાકિસ્તાન જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે, તેઓ રસ્તામાં પડતા ઇસ્લામાબાદ પડાવ પર રોકાશે, પરંતુ સાઉદી ક્રાઉન પ્રિન્સે પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું અને તેઓ ઇસ્લામાબાદમાં ન રોકાયા.

તેનાથી પાકિસ્તાની અધિકારીઓને ખૂબ નિરાશા પણ થઈ છે. સાઉદી ક્રાઉન મોહમ્મદ બિન સલમાને સોમવારે ભારતની પોતાની 3 દિવસીય યાત્રા પૂરી કરી. એક રિપોર્ટ મુજબ, જાણકારોનું કહેવું માનીએ તો સાઉદી ક્રાઉન પ્રિન્સ સંક્ષિપ્ત યાત્રા નક્કી નહોતી, છતા પાકિસ્તાન આશા રાખી રહ્યું હતું કે રાજ્યના વાસ્તવિક શાસક ઇસ્લામાબાદ રોકાશે. એવી એટલે આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સાઉદી આરબના ક્રાઉન પ્રિન્સે વર્ષ 2019માં નવી દિલ્હી આવવા અગાઉ એમ કર્યું હતું.

એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે મોહમ્મદ બિન સલમાન, જે સાઉદી અરબના વડાપ્રધાન પણ છે, G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારતની પોતાની યાત્રા અગાઉ કે પછી એક સંક્ષિપ્ત પ્રવાસ દરમિયાન ઇસ્લામાબાદ પહોંચશે. વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાજ જહરા બલૂચે ગત શુક્રવારે પોતાની સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન એક સવાલનો જવાબ આપતા એ વાતની પુષ્ટિ કરવાની અસમર્થતા દેખાડી હતી કે સાઉદી ક્રાઉન પ્રિન્સ ભારત પ્રવાસ વખત પાકિસ્તાન આવશે કે નહીં.

તેમણે એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, જ્યાં સુધી ક્ષેત્રના કોઈ ઉચ્ચ સ્તરીય યાત્રાનો સવાલ છે. અમે આ સ્તર પર કોઈ જાહેરાત કરવાની સ્થિતિમાં નથી. એક વખત એવી યાત્રાની પુષ્ટિ થઈ જવા પર અમે જાહેરાત કરીશું. જો કે, વિશેષ રોકાણ સુવિધા પરિષદ (SIFC)ના અધિકારીઓએ કહ્યું કે, અધિકારી ઉત્સૂક હતા કે સાઉદી ક્રાઉન પ્રિન્સ ઇસ્લામાબાદમાં હાલની વ્યવસ્થાના સમર્થનના સંકેત આપવા માટે આ યાત્રા કરે.

તો ભારતની મહેમાનનવાજીમાં સાઉદી અરબના વડાપ્રધાન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને એવું કહી દીધું જેની પાકિસ્તાનને ક્યારેય આશા નહોતી. તેમણે કહ્યું કે, દેશે પહેલા પોતાને ત્યાં આતંકવાદને આશ્રય આપવાથી ઉપર આવવું પડશે. તેમણે તમામ એવા સંગઠનોને ખતમ કરવા પડશે. એ સિવાય ગુનેગારોને વહેલી તકે સજા આપવી પડશે. પાકિસ્તાન પર ખૂબ પહેલાથી આતંકવાદીઓને શરણ આપવાના આરોપ લાગતા રહ્યા છે. પરંતુ તે હંમેશાં ભારત પર બદનામ કરવાનો આરોપ લગાવતું રહ્યું છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.