ફિટનેસ સર્ટિફિકેટ વિના શા માટે ખોલ્યો મોરબીનો ઝૂલતો પૂલ?જયસુખ પટેલે આપ્યો આ જવાબ

મોરબી બ્રિજ દુર્ઘટનામાં ધરપકડ કરાયેલા ઓરેવા ગ્રુપના પ્રમોટર જયસુખ પટેલ વિરુદ્ધ પોલીસ કોઈ નવુ તથ્ય નથી શોધી શકી. પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે પટેલને કસ્ટડીમાં મોકલી આપ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સાત દિવસના રિમાન્ડમાં પોલીસને દુર્ઘટના સાથે સંકળાયેલી કોઈ નક્કર જાણકારી નથી મળી. પોલીસે જ્યારે જયસુખ પટેલને સવાલ કર્યો કે, તેણે ફિટનેસ ઓડિટ વિના કઈ રીતે બ્રિજ ખોલી દીધો? તેના જવાબમાં જયસુખ પટેલે કહ્યું કે, કોન્ટ્રાક્ટમાં એવી કોઈ શરત નહોતી. આ ઉપરાંત, જયસુખ પટેલે કહ્યું કે, મારી પાસે ફિટનેસ સર્ટિફિકેટની કોઈ ટેકનિકલ જાણકારી પણ નહોતી.

પોલીસ સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, જ્યારે એવુ પૂછવામાં આવ્યું કે તેણે વિક્ટોરિયન પીરિયડના પૂલનું સમારકામ દેવપ્રકાશ સોલ્યૂશન નામની એક મામૂલી અને નાની ફર્મને શા માટે આપી દીધુ? તેના જવાબમાં પટેલે કહ્યું કે, આ ફર્મ પહેલા પણ એકવાર પુલનું સમારકામ કરી ચુકી હતી. આથી, તેને ફરીવાર આ કામ સોંપવામાં આવ્યું. પોલીસ રિમાન્ડ અનુસાર, જયસુખ પટેલની પૂછપરછમાં એ પણ જાણવા ન મળ્યું કે દુર્ઘટના બાદ 90 દિવસ સુધી જયસુખ પટેલ ક્યાં ગાયબ હતો? આ દરમિયાન તેને સંતાવામાં કોણે મદદ કરી?

સુનાવણી દરમિયાન સરકારી વકીલે એ માંગ પણ રજૂ કરી હતી કે, પોલીસ જાણકારી મેળવે કે દુર્ઘટના બાદ ગાયબ જયસુખ પટેલને સંતાવામાં કોણે મદદ કરી. પોલીસે 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે જયસુખ પટેલની રિમાન્ડ લીધી હતી. તો કોર્ટમાં 15 પોઈન્ટ્સ પર પૂછપરછ કરવાની વાત કહેવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ પોલીસને સાત દિવસના રિમાન્ડ આપ્યા હતા. જે 8 જાન્યુઆરીએ પૂરા થઈ ગયા. ત્યારબાદ જયસુખ પટેલને ફરીવાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. પોલીસની ફરીથી વધુ રિમાન્ડની માંગણી પર કોર્ટે પટેલને જેલમાં મોકલી આપ્યો.

પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં એ પણ જાણકારી મેળવી નથી શકી કે ટેન્ડર વિના ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ કઈ રીતે મળી ગયો. શું તેમા કોઈ નગરપાલિકાના અધિકારી કે પછી કોઈ નેતાની સંડોવણી હતી? આ તમામ સવાલો છે જેનો જવાબ પોલીસ નથી શોધી શકી. 30 ઓક્ટોબરે મોરબીની મચ્છુ નદી પર સ્થિત 100 વર્ષ કરતા વધુ જુનો ઝૂલતો પુલ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ મોરબી પોલીસે FIR દાખલ કરી હતી અને પુલના સંચાલન સાથે સંકળાયેલા ઓરેવા ગ્રુપના કેટલાક કર્મચારીઓ સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ચાર્જશીટ રજૂ કરતા પહેલા ઓરેવા ગ્રુપના પ્રમોટર જયસુખ પટેલનું નામ પણ સામેલ કર્યું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.