શું BJP CM ફેસ તરીકે સિંધિયાના નામનું મનોમંથન કરી રહી છે? MP કોંગ્રેસનો દાવો

PC: assettype.com

મધ્ય પ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને ભાવી મુખ્યમંત્રી તરીકે વર્તમાન CM શિવરાજ સિંહ ચૌહાણના નામની સાથે સાથે હવે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ ચર્ચામાં છે. સિંધિયા એકમાત્ર એવા નેતા છે જે હજુ થોડા સમય પહેલાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે, પરંતુ આટલા ઓછા સમયમાં પણ તેમનું મધ્ય પ્રદેશના CM ફેસ તરીકે વારંવાર નામ ચર્ચામાં આવી રહ્યું છે. આની પાછળ એક બે નહીં, પરંતુ અનેક એવા કારણો છે જે સિંધિયાની રાજકારણ દખલગીરી અને પાવર સેન્ટરને બતાવે છે.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગીથી જ મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકારને ફરી એકવાર સત્તાનો મોકો મળ્યો હતો.મધ્ય પ્રદેશના રાજકારણમાં સિંધિયા એવો ચહેરો છે જે જેમની નારાજગી અને રજામંદીને કારણે અનેક નેતાઓના નસીબ ખુલી ગયા છે. ભાજપમાં શિવરાજ સિંહ પછી CM તરીકે સિંધિયાનું નામ સૌથી ઉપર છે.

કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ કહ્યું કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દરેક મોર્ચા પર નિષ્ફળ ગયા છે. એટલે તેમને હટાવવા હવે ભાજપની મજબુરી બની ગઇ છે. એટલે MPમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે સિંધિયાના નામનું ભાજપ મનોમંથન કરી રહ્યું છે.

ભાજપ જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્ય પ્રદેશની કમાન સોંપીને એક તીરથી અનેક નિશાન સાધી શકે છે. દા.ત. મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ પછી પાર્ટીમાં અનેક નેતાઓના નામ મુખ્યમંત્રી તરીકે સામે આવતા રહ્યા છે. પરંતુ ઇન્ટરનલ પોલિટિક્સમાં બધા એકબીજાથી વિરુદ્ધમાં ચાલી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશના રાજકારણનું એવું નામ છે કે જેને કારણે ભાજપ પાર્ટીના હરિફ નેતાઓની નારાજગીનો એક ઝાટકે અંત આવી શકે છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાને ભલે રાજનીતિ વારસામાં મળી હોય, પરંતુ લોકપ્રિયતાના મામલામાં તેમણે અનેક દિગ્ગજ નેતાઓને પછડાટ આપી છે. જ્યોતિરાદિત્ય 15મી લોકસભામાં કોંગ્રેસની ટિકિટ પર ગુનાથી સાંસદ તરીકે ચૂંટાઇને આવ્યા હતા. તેમને મનમોહન સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તરીકેની જવાબદારી પણ મળી હતી. એ પછી સિંધિયા લોકસભાની ચૂંટણી હારી ગયા હતા. પરંતુ મધ્ય પ્રદેશમાં સત્તાનો તખ્તો પલટાયો હતો અને તેઓ જૂન 2020માં  મધ્ય પ્રદેશથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. હાલમાં સિંધિયા PM મોદી સરકારમાં એવિએશન મંત્રી છે.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના સ્વ. પિતા માધવરાવ સિંધિયાનું રાજકારણ અને વારસો બંને આગળ વધારવાનું કામ કર્યું છે. કોંગ્રેસના જે નેતાઓ સ્વ. માધવરાવ સિંધિયા સાથે જોડાયેલા હતા તેઓ આજે પણ જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે છે. સિંધિયા બે દશકની કોંગ્રેસ સાથેની રાજનીતિ છોડીને ભાજપમાં સામેલ થયા તો પણ આ કોંગ્રેસ નેતાઓએ સિંધિયાનો સાથ ન છોડયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp