શરદ પવાર બાદ NCPમાં રાજીનામા ચાલુ, આવ્હાડ સહિત નેતાઓએ છોડ્યા પદ, આપ્યુ આ કારણ

શરદ પવાર દ્વારા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામાં બાદ પાર્ટીમાં ઘટનાક્રમ તેજ છે. હવે NCPના રાષ્ટ્રીય મહાસચિવ જિતેન્દ્ર આવ્હાડે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જિતેન્દ્ર આવ્હાડનું કહેવું છે કે, તેઓ શરદ પવાર વિના પદ પર નહીં રહે. પદ પરથી રાજીનામું આપ્યા બાદ જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, મેં રાષ્ટ્રીય મહાસચિવના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને શરદ પવારને મોકલ્યું છે. થાણે NCPના બધા પદાધિકારીઓએ પણ પોતાના પદ છોડી દીધા છે. શરદ પવારના નિર્ણય બાદ લોકો રાજીનામું આપી રહ્યા છે.

જિતેન્દ્ર આવ્હાડને શરદ પવારના ખૂબ નજીકના અને ભરોસાપાત્ર નેતાઓમાં ગણવામાં આવે છે. તેઓ સુપ્રિયા સુલે સાથે પણ સારા સંબંધ રાખે છે. માનવામાં આવી રહ્યું છે કે, અજીત પવારના પક્ષ પર દબાવ બનાવવા માટે શરદ પવાર બાદ બીજા નેતાઓના પણ રાજીનામાનો દાવ ચાલી રહ્યા છે. આ દરમિયાન મુંબઈના યશવંત રાવ ઓડિટોરિયમમાં NCPની મીટિંગ ચાલી રહી છે. આ બેઠકમાં સુપ્રિયા સુલે, અજીત પવાર, પ્રફુલ પટેલ જેવા નેતા ઉપસ્થિત છે અને શરદ પવાર સાથે વાતચીત ચાલી રહી છે.

મીટિંગમાં પહોંચવા અગાઉ અજીત પવારે અધ્યક્ષ બનવાના સવાલ પર કહ્યું કે, હું નહીં બનું. આ વાતનો સવાલ જ ઊઠતો નથી. જો મને અધ્યક્ષ બનવા કહેવામાં આવશે તો હું તે માટે ના પાડી દઇશ. માનવામાં આવી રહ્યું છે કે અજીત પવાર પોતે અધ્યક્ષ બનવાની જગ્યાએ પોતાના કોઈ નજીકના જેમ કે પ્રફુલ પટેલને અધ્યક્ષ બનાવી શકે છે. તેઓ પોતે વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ છે. જે પ્રકારે શરદ પવારનો પક્ષ આક્રમક છે અને પોતાના નેતા માટે ભાવુક છે, તેનાથી ખેચતાણ વધતી દેખાઈ રહી છે.

રાજીનામું આપવા અગાઉ જિતેન્દ્ર આવ્હાડે શરદ પવારને અપીલ કરી હતી કે, તે પોતાનો નિર્ણય પાછો લઈ લે. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે, શરદ પવાર પોતે જ આ નિર્ણય ન લઈ શક્યા. તેમણે કાર્યકર્તાઓની ભાવનાઓને સમજવું પડશે. જે તેમના સિવાય કોઈ બીજાને સ્વીકારી નહીં શકે. આવ્હાડે આ દરમિયાન અજીત પવાર પર પ્રહાર પણ કર્યો. તેમણે કહ્યું કે, કાલે કોઈએ આમને કહ્યું કે, તમે જઈને સાહેબને રાજીનામું લેવા ન કહેતા, પરંતુ લોકો શરદ પવારને પ્રેમ કરે છે. તમે તેમના પ્રેમને નહીં રોકી શકો. કાલે શરદ પવારે તો અહી સુધી કહી દીધું હતું કે આ વાતનો વિરોધ ન કરો. લોકો આમ પણ કરશે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.