વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ તમારે લેવી હોય તો તૈયાર થઇ જાઓ, આ રીતે મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ગિફ્ટ્સને 2 ઓક્ટોબરથી ફરી હરાજી થઈ રહી છે. આ વાતની જાણકારી આપતા સંસ્કૃતિ મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ગિફ્ટ્સના આ ઇ-ઓક્શનની પાંચમી સીઝન છે. તેમાં કુલ 912 ગિફ્ટ્સ રાખવામાં આવી છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશના પ્રવાસો દરમિયાન મળી છે. હરાજીથી મળેલી રકમનો ઉપયોગ નમામી ગંગેમાં થશે. તેમાં સૌથી ઓછી કિંમતનો સામાન 100 રૂપિયા અને સૌથી વધુ કિંમતના 64 લાખ રૂપિયા છે.

આ દરમિયાન તેમણે કહ્યું કે, સંસ્કૃતિ મંત્રાલયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ગિફ્ટ્સ અને સ્મૃતિ ચિહ્નોની શાનદાર શૃંખલાને પ્રદર્શિત કરનાર એક ઇ-ઓક્શનની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી આ ગિફ્ટ્સને તમે ઇ-ઓક્શનના માધ્યમથી 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2023 સુધી ખરીદી શકો છો. તેના માટે તમારે https://pmmementos.gov.in/ પર જઈને સાઇન ઇન કરવું પડશે અને તમે બીજી વેબસાઇટ પર ઓક્શનમાં સામેલ થઇને પણ સામાન ખરીદી શકો છો. અહી પણ તમારે એ જ પ્રકારે ખરીદવું પડશે.

હવે સવાલ ઉઠે છે કે આ ઇ-ઓક્શનમાં કયો કયો સમાન ઓક્શન માટે હશે. તેનો જવાબ આપતા સંસ્કૃતિ મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું કે, આ ઇ-ઓક્શનમાં આપણાં સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરનારી કલાકૃતિઓનો એક અસાધારણ સંગ્રહ છે. ઇ-ઓક્શન માટે ઉપલબ્ધ સ્મૃતિ ચિહ્નોનો વિવિધિ સંગ્રહ, પારંપરિક કળાની એક શાનદાર શૃંખલા પ્રદર્શિત કરે છે, જેમાં પેઇન્ટિંગ, જટિલ મૂર્તિઓ, સ્વદેશી હસ્તશિલ્પ, આકર્ષક લોક અને આદિવાસી કલાકૃતિઓ સામેલ છે.

આ વસ્તુઓમાંથી કેટલાકને પારંપારિક રૂપે સન્માન અને શ્રદ્ધાના પ્રતિકના રૂપમાં પ્રદાન કરવામાં આવે છે, જેમાં પારંપરિક અંગવસ્ત્રમ, સાલ, ટોપી અને ઔપચારિક તલવારો સામેલ છે. આ ઇ-ઓક્શનની ઉત્કૃષ્ઠ કલાકૃતિઓમાં મોઢેરા સુર્યમંદિર અને ચિતોડગઢના વિજય સ્તંભ જેવા વસ્તુંશિલ્પ ચમત્કારોની પ્રતિકૃતિઓ પણ સામેલ છે. ચંબા રૂમાલ, પટ્ટચિત્ર, ઢોકરા કળા, ગોંડ કળા અને મધુબની કળા જેવા ઉલ્લેખની ટુકડા સ્થાયી અને ગાઢ સાંસ્કૃતિક સારને પ્રતિબિંબિત કરે છે જે વિવિધ સમુદાયોના મૂર્ત અને અમૂર્ત બંને પહેલુઓને સામેલ કરે છે.

આ ઇ-ઓક્શન સફળ ઓક્શનોની સીરિઝમાં પાંચમી સીઝન છે, જેમાંથી પહેલી વર્ષ 2019માં થઇ હતી. ગત સીઝનોને અનુરૂપ આ ઇ-ઓક્શનથી મળતી રકમનો ઉપયોગ એક નેક કામ માટે કરવામાં આવશે. વિશેષ રૂપે નમામિ ગંગે કાર્યક્રમ માટે. કેન્દ્ર સરકારની આ પ્રમુખ પહેલ આપણી રાષ્ટ્રીય નદી ગંગાના સંરક્ષણ અને પુનર્સ્થાપન અને તેના નાજુક પારિસ્થિતિકી તંત્રને વધારવા માટે સમર્પિત છે.

આ ઓક્શનના માધ્યમથી મળનારી રકમનો ઉપયોગ નેક કાર્યમાં કરવામાં આવશે, જેથી આ અમૂલ્ય રાષ્ટ્રીય સંપત્તિની સુરક્ષા પ્રત્યે આપણી અતૂટ પ્રતિબદ્ધતા મજબૂત થશે. સંસ્કૃતિ મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું કે, અત્યાર સુધી 4 સીઝનોમાં લગભગ 7,000 ગિફ્ટ્સ લોકો ખરીદી ચૂક્યા છે. 33 હજાર કરોડ રૂપિયા અત્યાર સુધી ઇ-ઓક્શનથી આવ્યા છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની અંદર યાત્રાઓ દરમિયાન ગિફ્ટ્સ મળી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.