આમ આદમી પાર્ટીના 27માથી 14 કોર્પોરેટર બચ્યા એ બધા પાટીદાર, 9 મહિલા, 5 પુરુષ

સુરત મહાનગર પાલિકાની સવા બે વર્ષ પહેલા થયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતીને ઇતિહાસ રચી દીધો હતો, પરંતુ આ ઇતિહાસ લાંબો ટક્યો નહીં અને એક પછી એક 27 કોર્પોરેટરમાંથી 12 કોર્પોરેટર ભાજપમાં ચાલ્યા ગયા છે, જ્યારે એક કોર્પોરેટરે AAP પાર્ટીએ કાઢી મુક્યો છે. મતલબ કે 27 કોર્પોરેટરમાંથી હવે માત્ર 14 બચ્યા છે અને જે બચ્યા છે એ બધા જ પાટીદાર છે. મતલબ કે એમ કહી શકાય કે સુરત AAP હવે પાટીદારના ભરોસે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે જે 14 કોર્પોરેટર બચ્યા છે તેમાં 9 મહિલા અને 5 પુરુષ છે, મતલબ કે મહિલાઓનું આધિપત્ય વધી ગયું છે.

આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે, સુરતમાં જે 14 કોર્પોરેટર હવે બચ્યા છે તે તમામ પાટીદાર સમાજના છે. જો કે તેમણે કહ્યુ કે આમ આદમી પાર્ટી દરેક સમાજ માટે છે. ઇમાનદાર અને સામાન્ય માણસો આમ આદમી પાર્ટીના ભરોસે છે.

AAPના પ્રવક્તા જાદવાણી કહ્યું કે, ઉમેદવારોએ પોતાની ટર્મ પુરી થયા સુધી પાર્ટી સાથે રહેવું જોઇએ, ટર્મ પુરી થયા પછી પક્ષ બદલવો જોઇએ. મતલબ કે જાદવાણીના મતે પક્ષ પલટો કરવામાં વાંધો નથી, પરંતુ ટર્મ પુરી કર્યા પછી પલટો કરવામાં વાંધો નથી.

જ્યારે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું પતન થયું હતું અને આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે આ સોનાની થાળીમાં લોંખડના ખીલા જેવું છે, એનો રસ્તો કાઢીશું. એ પછી 3 તબક્કામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને ભાજપમાં સામેલ કરી દેવાયા. પહેલા 4, એ પછી 6 અને પરમ દિવસે બીજા 2 સહિત કુલ 12 કોર્પોરેટર AAP સાથે છેડો ફાડીને BJPમાં સામેલ થઇ ગયા છે.

આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કરેલા રાજેશ મોરડીયાએ હજુ સુધી કોઇ પાર્ટી જોઇન કરી નથી એટલે આમ આદમી પાર્ટીમાંથી 13 કોર્પોરેટરો ખરી પડ્યા છે અને હવે માત્ર 14 જ બચ્યા છે.

ભાજપ એક કાંકરે બે તીર મારી રહ્યું છે. એક તો આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે અને AAPના કોર્પોરેટર જે વિસ્તારમાં આવે છે તેમાં સુરત અને બારડાલી લોકસભાનો વિસ્તાર આવે છે અને  આ વિસ્તારોમાં AAPના મોટી સંખ્યામાં વોટ હતા એટલે AAPના કોર્પોરેટરને તોડવા જરૂરી હતી. બીજું કે ભાજપ માને છે કે વિપક્ષ હોવો જ ન જોઇએ. સુરત મહાનગર પાલિકામાં કુલ 120 બેઠકો છે અને નિયમ મુજબ 10 ટકા એટલે  કે 12 કોર્પોરેટર હોય તો વિપક્ષ પદ મળે છે. અત્યારે તો AAP પાસે 14 કોર્પોરેટર છે, પરંતુ જો બીજા ત્રણેક કોર્પોરેટર પણ તુટી જાય તો આમ આદમી પાર્ટીનું પાલિકાનું વિપક્ષ પદ છિનવાઇ જાય.

 હજુ પરમ દિવસે ભાજપમાં જોડાયેલા કનુ ગેડિયાએ દાવો કર્યો હતો કે હજુ 10 કોર્પોરેટર ભાજપમાં આવવા માટે ટાપીને બેઠા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.