ઇમરાન ખાનનું ભાષણ પ્રસારિત કરનારી પાકિસ્તાની ટી.વી. ચેનલ પર થઇ આ કાર્યવાહી

પાકિસ્તાનન મીડિયા નિયામક દ્વારા પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના ભાષાણના પ્રસારણ પર પ્રતિબંધ લગાવવાના થોડા કલાક બાદ ARY ટી.વી.નું પ્રસારણ એક દિવસ અગાઉ તેમનું ભાષણ પ્રસારિત કરવાને લઇને સોમવારે બંધ કરી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા નિયામકીય ઓથોરિટી (PEMRA)એ રવિવારે રાત્રે અલગ અલગ સેટેલાઇટ ટેલિવિઝન ચેનલ પર 70 વર્ષીય પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનું સીધુ કે રેકોર્ડેડ ભાષણના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

આ અગાઉ ઇસ્લામાબાદ પોલીસ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરી શકી નહોતી. ARYનું પ્રસારણ હાલમાં થઇ રહ્યું નથી. હાલમાં નિયામક દ્વારા પ્રતિબંધનો સંદેશ જ દેખાડે છે. એમ માનવામાં આવી રહ્યું છે કે, ARY ઇમરાન ખાન પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. આ ચેનલ વિરુદ્ધ પહેલા પણ કાર્યવાહી કરવામાં આવી છે. PEMRAના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, એ જોવામાં આવ્યું છે કે તહરિક-એ-ઇન્સાફના અધ્યક્ષ પોતાના ભાષાણો/નિવેદનોથી સતત પાયાવિહોણા આરોપ લગાવી રહ્યા છે તથા સરકારી સંગઠનો અને અધિકારીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપીને નફરતી ભાષણ આપી રહ્યા છે.

જેથી કાયદા વ્યવસ્થાને લઇને સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે અને શાંતિમાં ખલેલ પડી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એટલે સક્ષમ ઓથોરિટી એટલે કે PEMRAના અધ્યાક્ષ બધી સેટેલાઇટ ચેનલ પર તાત્કાલિક પ્રભાવથી શ્રી ઇમરાન ખાનના ભાષણ/પ્રેસ કોન્ફરન્સ (રેકોર્ડેડ કે સીધુ)ના  પ્રસારણ/પુનઃ પ્રસારણ પર રોક લગાવે છે. PEMRAએ ટી.વી ચેનલોને ચેતવણી આપી છે કે આ આદેશનું પાલન ન કરવા પર લાઇસન્સ રદ્દ કરી દેવામાં આવશે.

રવિવારે ઇસ્લામાબાદ પોલીસ એ શંકાના આધાર પર ધરપકડ વોરન્ટ લઇને ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે લાહોર ગઇ હતી કે તેઓ કોર્ટમાં ઉપસ્થિત થતા બચી રહ્યા છે, પરંતુ પોલીસનું કહેવું છે કે ઇમરાન ખાન પોતાના ઘર પર નથી. જો કે, થોડા સમય બાદ તેઓ ઘરની બહાર આવ્યા અને તીખું ભાષણ આપ્યું, જેને ARY ન્યૂઝે પ્રસારિત કરી દીધું હતું, ફળસ્વરુપ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઇમરાન ખાન પોતાની ધરપકડ પર રોક લગાવવા માટે સોમવારે કોર્ટ ગયા હતા. આ પહેલી વખત નથી જ્યારે PEMRAએ ઇમરાન ખાન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં પણ PTIના અધ્યક્ષના ભાષાનો અને કોન્ફરન્સના પ્રસરણ અને પુનઃ પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે, સરકારે એ જ દિવસે નિર્ણયને રદ્દ પણ કરી દીધો હતો.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.