પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું રવિવારે નિધન થઇ ગયું. સ્થાનિક મીડિયાએ આ જાણકારી આપી છે. તેની સારવાર સંયુક્ત અરબ અમીરાત (UAE)ની અમેરિકન હૉસ્પિટલમાં ચાલી રહી હતી. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ્સ મુજબ, અમાઇલોઇડોસિસ બીમારીથી ઝઝૂમી રહ્યો હતો. પરવેઝ મુશર્રફનો જે છેલ્લો વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળ્યું કે, તે ચાલવામાં અસમર્થ હતો. તે પૂરી રીતે વ્હીલ ચેરના ભરોસે હતો અને ભોજન પણ કરી શકતો નહોતો.

11 ઑગસ્ટ 1943ના રોજ પરવેઝ મુશર્રફનો જન્મ દરિયાઇ ગંજ નવી દિલ્હીમાં થયો હતો. વર્ષ 1947માં તેના પરિવારે પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો હતો. વિભાજનના માત્ર થોડા દિવસ અગાઉ જ તેનો આખો પરિવાર પાકિસ્તાન પહોંચ્યો હતો. તેના પિતા સઇદે પાકિસ્તાન સરકાર માટે કામ કરવાની શરૂઆત કરી અને વિદેશ મંત્રાલય સાથે જોડાયો. ત્યારબાદ તેના પિતાની બદલી તુર્કીમાં થઇ, વર્ષ 1949માં તે તુર્કી જતો રહ્યો. થોડા સમય પહેલા પોતાના પરિવાર સાથે તુર્કીમાં રહ્યો, ત્યાં જ તેણે તુર્કી ભાષા બોલવાની પણ શીખી.

મુશર્રફ પોતાના યુવા કાળમાં ખેલાડી રહ્યો છે. વર્ષ 1957માં તેનો આખો પરિવાર પાકિસ્તાન આવતો રહ્યો. તેનું પ્રાથમિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રીટ શાળામાં થયું અને કૉલેજનો અભ્યાસ લાહોરના ફોર્મેન ક્રિશ્ચિયન કૉલેજમાં થયો. પરવેઝ કારગિલ યુદ્ધના સમયે પાકિસ્તાની સેનાનો જનરલ હતો. ઘણા પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, મુશર્રફે કારગિલ યુદ્ધને લઇને તાત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખ્યા હતા. મુશર્રફે તાત્કાલિક વડાપ્રધાન નવાઝ શરીફને દેશ બહાર જતા જ વર્ષ 1999માં સૈન્ય તખ્તાપલટ કરી દીધો હતો. એ સમયે નવાઝ શરીફ શ્રીલંકન પ્રવાસે ગયા હતા.

પરવેઝ મુશર્રફ એ વ્યક્તિ છે જેને પાકિસ્તાનમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલી વખત પેશાવર હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતામાં વિશેષ કોર્ટની 3 સભ્યોની પીઠે એવી સંભળાવી હતી. પાકિસ્તાનમાં 3 નવેમ્બર 2007ના રોજ ઇમરજન્સી લગાવવા અને ડિસેમવબર 2007ના મધ્ય સુધી સંવિધાનને સસ્પેન્ડ કરવાના ગુનામાં પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. પરવેઝ મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષી ઠેરવવામાં આવ્યો હતો. 79 વર્ષીય પરવેઝ મુશર્રફે વર્ષ 1999થી વર્ષ 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ માર્ચ 2016થી દુબઇમાં રહેતો હતો.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.