પાક. સ્પોર્ટ્સ મિનિસ્ટરની ધમકી-ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન ન આવ્યું તો..

પાકિસ્તાનના સ્પોર્ટ્સ મિનિસ્ટર એહસાન મજારીએ કહ્યું કે, જો ભારત એશિયા કપ માટે પાડોશી દેશ આવતો નથી, તો તેમનો દેશ વર્ષ 2023નો વર્લ્ડ કપ રમવા નહીં આવે. જો કે, એશિયા કપનું શેડ્યૂલ અત્યાર સુધી જાહેર થયું નથી, પરંતુ ACCમાં એ વાત પર સામાન્ય સહમતી છે કે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્ત રૂપે આયોજિત કરવામાં આવશે. ભારત પોતાની બધી મેચ શ્રીલંકામાં રમશે. પાકિસ્તાનમાં 4 મેચ થશે. ACC તેની જાણકારી આપી ચૂક્યું છે.

જો કે, એહસાન મજારીએ કહ્યું કે, તેઓ આ હાઇબ્રીડ મોડલના પક્ષમાં નથી. એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા એહસાન મજારીએ કહ્યું કે, મારું અંગત મંતવ્ય છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) મારા મંત્રાલય અંતર્ગત આવે છે. જો ભારત એશિયા કપની મેચ તટસ્થ સ્થળ પર રમવા માગે છે, તો અમે પણ ભારતમાં નહીં રમીએ.’ આ નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ દ્વારા ભારતની મેજબનીમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપમાં દેશની ભાગીદારીના મુદ્દા પર વિચાર કરવા માટે એક હાઇ-પ્રોફાઇલ સમિતિ રચવાના એક દિવસ બાદ આવ્યું છે.

સમિતિને લઈને જાણકારી શેર કરતા એહસાન મજારીએ કહ્યું કે, ‘સમિતિના અધ્યક્ષ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારી કરશે અને હું એ 11 મંત્રીઓમાંથી છું જે તેનો હિસ્સો છે. અમે આ મુદ્દા પર ચર્ચા કરીશું અને પોતાની ભલામણ વડાપ્રધાનને આપીશું. જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સંરક્ષક પણ છે. વડાપ્રધાન અંતિમ નિર્ણય લેશે. એશિયા કપના હાઇબ્રીડ મોડલને લઈને એહસાન મજારીએ કહ્યું કે, પાકિસ્તાન મેજબાન છે, તેને બધી મેચ પાકિસ્તાનમાં આયોજિત કરવાનો અધિકાર છે.

તેમણે આગળ કહ્યું કે, ક્રિકેટ પ્રેમી એવું જ ઈચ્છે છે અને હું હાઇબ્રીડ મોડલ ઈચ્છતો નથી. પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા ભારતનું ના પાડવું તેમને પરેશાન કરી રહ્યું છે. ભારત રમતને રાજનીતિમાં લાવે છે. મને સમજ પડતી નથી કે, ભારત સરકાર પોતાની ક્રિકેટ ટીમ અહીં કેમ મોકલવા માગતી નથી? થોડા સમય અગાઉ ભારતની એક વિશાળ બેસબોલ ટીમ રમવા માટે ઇસ્લામાબાદ આવી હતી. બ્રિજ ટીમે પણ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, લગભગ 60 કરતા વધુ લોકો હતા અને હું કાર્યક્રમનો મુખ્ય અતિથિ હતો. તેઓ અહીં જીતીને ગયા. પાકિસ્તાનની ફૂટબોલ, હોકી અને ચેસ ટીમો પણ ભારતનો પ્રવાસ કરે છે.

મજારીને પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટરોની સુરક્ષાની ચિંતા પર સવાલ કર્યો તો તેમણે કહ્યું કે કોઈ યોગ્ય તર્ક નથી. ન્યૂઝીલેન્ડની ટીમ અહીં હતી. એ અગાઉ ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનમાં હતી. તેમને રાષ્ટ્રપતિ સુરક્ષા મળી છે. આ અગાઉ અહીં ભારતીય ટીમનું ફેન્સે જોરદાર સ્વાગત કર્યું હતું. સુરક્ષા તો એક બહાનું છે. અમે PSLનું પણ આયોજન કર્યું, જેમાં ઘણા બધા વિદેશી ખેલાડી હતા. મજારીએ બંને દેશો વચ્ચે ક્રિકેટના પ્રવાસોને શરૂ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે ટી.વી. પર સૌથી વધુ જોવાતી ક્રિકેટ મેચોમાથી એક છે.

તેમણે એમ પણ કહ્યું કે, અમે એવું ઈચ્છીએ છીએ કે, સ્વસ્થ ક્રિકેટ રમવામાં આવે. અમને ભારત પાસે સકારાત્મક જવાબની આશા છે. ઉલ્લેખનીય છે કે, ICCએ ગત દિવસોમાં પાકિસ્તાનને વર્લ્ડ કપ માટે ભારતની યાત્રા કરવા માટે આગ્રહ કર્યો હતો. ICCએ એક નિવેદનમાં કહ્યું હતું કે, પાકિસ્તાને ટૂર્નામેન્ટ માટે એક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે અને અમને આશા છે કે ટીમ ભારત આવશે અને તેની વિરુદ્ધ કોઈ સંકેત મળ્યા નથી. બધા સભ્યોને પોતાના દેશના નિયમો અને કાયદાનું પાલન કરવાનું હોય છે અને અમે તેનું સન્માન કરીએ છીએ, પરંતુ અમને વિશ્વાસ છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ માટે ભારત આવશે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.