સચિન પાયલટ ગદ્દાર છે, ક્યારેય CM ના બની શકેઃ CM અશોક ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હવે સંયમ ગુમાવી ચુક્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સાથે ગુજરાતમાં પ્રચાર કરવા પહોંચેલા અશોક ગેહલોતે મીડિયા સાથે વાતચીત કરી, જેમા તેઓ પોતાના પૂર્વ ડેપ્યૂટી સચિન પાયલટ પર વરસી પડ્યા અને સમગ્ર વાતચીતમાં તેમને છવાર ગદ્દાર કહીને સંબોધ્યા. તેમણે કહ્યું, એક ગદ્દાર મુખ્યમંત્રી ના બની શકે... હાઇકમાન સચિન પાયલટને મુખ્યમંત્રી ના બનાવી શકે, એક એવી વ્યક્તિ, જેની પાસે 10 ધારાસભ્યો પણ નથી.. એવો વ્યક્તિ, જેણે વિદ્રોહ કર્યો... તેમણે પાર્ટી સાથે છળ કર્યું, તેઓ ગદ્દાર છે.

ઈન્ટરવ્યૂ દરમિયાન એશોક ગેહલોતે 2020માં થયેલી બગાવત વિશે વાત કરી, આ સંભવતઃ હિન્દુસ્તાનમાં પહેલીવાર થયુ હશે, જ્યારે એક પાર્ટી અધ્યક્ષે પોતાની જ સરકાર તોડી પાડવાનો પ્રયત્ન કર્યો. અશોક ગેહલોતે કોઈ પુરાવા રજૂ ના કર્યા, પરંતુ કહ્યું કે આ બગાવતને BJPએ ફંડ કર્યું હતું અને તેની પાછળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત BJPના વરિષ્ઠ નેતા સામેલ હતા.

તે સમયે, બે વર્ષ સુધી રાજસ્થાનના ડેપ્યૂટી CM રહી ચુકેલા સચિન પાયલટ 19 ધારાસભ્યોને લઈને દિલ્હીની નજીક એક ફાઇવ સ્ટાર રિસોર્ટમાં પહોંચી ગયા હતા. આ કોંગ્રેસને સીધો પડકાર હતો- ક્યાં તો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે, અથવા તેઓ કોંગ્રેસ છોડીને ચાલ્યા જશે અને આ જ કારણે થોડાં જ રાજ્યોમાં શાસન કરી રહેલી પાર્ટી એક રાજ્યમાં તૂટી પણ ગઈ હતી.

પરંતુ, આ પડકાર નિષ્ફળ સાબિત થયો કારણ કે, 46 વર્ષીય સચિન પાયલટ કરતા 56 વર્ષ સીનિયર અશોક ગેહલોતે તેમને સરળતાથી પટક્યા હતા અને તેમણે પણ એક ફાઇવ સ્ટાર રિસોર્ટમાં જ 100 કરતા વધુ ધારાસભ્યોને લઈ જઈને પોતાની તાકાત બતાવી હતી. સ્પષ્ટ થઈ ગયુ કે, બંને નેતાઓમાં કોઈ કોમ્પિટિશન જ નહોતી. સચિન પાયલટે આ નિષ્ફળતા બાદ પરિણામ પણ ભોગવવુ પડ્યું હતું. એક સમજૂતિ તૈયાર કરવામાં આવી અને દંડ તરીકે તેમને પાર્ટી પ્રદેશાધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા, સાથે જ તેમને ઉપમુખ્યમંત્રીના પદ પરથી પણ હટાવવામાં આવ્યા.

અશોક ગેહલોતે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આરોપ લગાવ્યો કે, તે બગાવત દરમિયાન સચિન પાયલટે બે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. ગેહલોતે કહ્યું, અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન સામેલ હતા... એ લોકોની વચ્ચે દિલ્હીમાં બેઠક થઈ હતી. ત્યારબાદ તેમણે ફરી પુરાવા વિના આરોપ લગાવ્યો કે સચિનની સાથે હાજર ધારાસભ્યોમાંથી કોઈકને પાંચ કરોડ મળ્યા, કોઈકને 10 કરોડ. આ રકમ દિલ્હીની BJP ઓફિસમાંથી ઉઠાવવામાં આવી. અશોક ગેહલોતે એવુ પણ કહ્યું કે, સચિન પાયલટ કેમ્પના લોકોને મળવા માટે ધર્મેન્દ્ર પ્રધાન પહોંચ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી વાતચીત માટે મોકલવામાં આવેલા નેતાઓએ મુલાકાત ના કરવા દીધી.

હાલમાં જ નવા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે અશોક ગેહલોતના નામની ચર્ચા અને રાજસ્થાનના નવા CM બનાવવા અંગેની વાત પર અને તેને માટે બોલાવાયેલી બેઠક અને તેને લઈને થયેલા વિવાદ અંગે ગેહલોતે કહ્યું હતું કે, તે ધારાસભ્યો મુખ્યમંત્રીના વફાદાર નહોતા, તે હાઇકમાનના વફાદાર હતા. તે વિવાદાસ્પદ બેઠકમાં હું સામેલ નહોતો અને તેનો દોષ સચિન પાયલટને જ મળવો જોઈએ કારણ કે, તેમણે જ એ થિયરી ઉડાવી હતી કે તેમને CM બનાવવામાં આવશે. એક અફવા ઉડાવવામાં આવી કે સચિન પાયલટને CM બનાવવામાં આવશે તેમણે પોતે જ આ વાત ફેલાવી હતી. લોકોને લાગ્યું કે તેમને CM બનાવવામાં આવશે. તેના કારણે ધારસભ્યો નારાજ થઈ ગયા કે તેમને કઈ રીતે CM બનાવી શકાય. કારણ કે, તેમણે પોતે જ સરકારને તોડી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. અશોક ગેહલોત પણ એવુ જ વિચારે છે, તેમણે કહ્યું હતું કે, હું સહમત છું, કોઈ ગદ્દારને મુખ્યમંત્રી કઈ રીતે બનાવી શકાય?

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.