વિપક્ષ 2023માં અવિશ્વાસની દરખાસ્ત લાવશે, PM મોદીએ 5 વર્ષ પહેલાં ભવિષ્ય ભાખેલું

લોકસભામાં ચોમાસું સત્ર થયાથી અત્યાર સુધીમાં વિપક્ષ મણિપુર હિંસાને લઇને સંસદમા હંગોમો કરી રહ્યા છે. આ દરમયાન સરકારે આ મુદ્દા પર ચર્ચા કરવાની પણ વાત કરી છે. પરંતુ, વિપક્ષ ચર્ચા કરવા માટે તૈયાર હોય તેવું અત્યારે દેખાતું નથી. બુધવારે વિપક્ષ મણિપુરને લઇને લોકસભમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લઇને આવ્યા છે.

સંસદમાં આ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા બાદ તેને સ્પીકરની મંજૂરી પણ મળી ગઈ છે. ખાસ વાત એ છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને 2019માં ગૃહમાં PM મોદીના ભાષણનો એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં PM મોદીને 2019માં કહેતા સાંભળી શકાય છે કે વિપક્ષ 2023માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.

આ વીડિયો 7 ફેબ્રુઆરી 2019નો છે. બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચા વખતે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એ કહેતા સાંભળી શકાય છે કે વિપક્ષે 2023માં વધુ એક પ્રસ્તાવ લાવવા માટે તૈયાર રહેવું જોઇએ. આ વીડિયોમાં તેઓ એક વર્ષ પહેલા તેમની સરકારના આવા પ્રસ્તાવને હરાવવાનો પણ ઉલ્લેખ કરી રહ્યા હતા.

વર્ષ 2019માં તેમના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું હતું કે, હું મારી શુભેચ્છા આપવા માંગું છું. એટલી તૈયારી કરો કે તમને 2023માં ફરીથી અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો મોકો મળે. આ વીડિયોમાં PM મોદી કહી રહ્યા છે કે આ એક સેવા ભાવ છે જેને કારણે 2 સાંસદોમાંથી આજે અમે સત્તા પર આવી શક્યા છે. અને અહંકારનું પરિણામ એ છે કે તમે 400માંથી ઘટીને 40 પર આવી ગયા છો. જુઓ તમે આજે ક્યાં આવી ગયા. તેમણે નામ લીધા વગર કોંગ્રેસ પર પણ પ્રહાર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, બુધવારે મણિપુર હિંસા પર સંસદમાં મડાગાંઠ વચ્ચે કોંગ્રેસના ગૌરવ ગોગોઈએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને લોકસભામાં પણ મંજૂર કરવામાં આવ્યો હતો. સ્પીકરે કહ્યું છે કે તેઓ દરેક સાથે વાત કર્યા બાદ સમય નક્કી કરશે. વાસ્તવમાં મણિપુરને લઈને સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે પાંચમા દિવસે પણ બબાલ ચાલી રહી છે.

વિપક્ષ નિયમ 267 હેઠળ ચર્ચાની માંગ પર અડગ છે. આજે, રાજ્યસભાના અધ્યક્ષે વિપક્ષની તમામ નોટિસને ફગાવી દેતાં કહ્યું હતું કે તેઓ નિયમ 176 હેઠળ ચર્ચા માટેના પ્રસ્તાવને સ્વીકારી ચૂક્યા છે. વિપક્ષના ભારે હોબાળાને કારણે બંને ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી અટકાવવી પડી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.