
સંસદના બજેટ સત્રમાં મંગળવારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપના બહાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા. તેમણે બજેટ સત્રમાં પોતાના ભાષણની શરૂઆત પોતાની ભારત જોડો યાત્રા દ્વારા કરી અને તેનો અંત અદાણીનું નામ લઈને PM મોદી પર હુમલો કરીને કર્યો. રાહુલ ગાંધીએ સંસદમાં પોતાની ભારત જોડો યાત્રા સાથે સંકળાયેલા અનુભવ શેર કરતા કહ્યું કે, લોકોએ અમને પોતાની સમસ્યાઓ જણાવી અને એ સવાલ પણ કર્યો કે અદાણી આટલા ઓછાં સમયમાં આટલો સારો વ્યાપાર કઈ રીતે કરવા માંડ્યા. તેમનો PM મોદી સાથે સંબંધ શું છે.
બજેટ સત્રમાં રાહુલ ગાંધીએ બોલતા કહ્યું કે, યાત્રામાં યુવાનોએ અમને કહ્યું કે, અમને પહેલા સર્વિસ અને પેન્શન મળતા હતા પરંતુ, હવે અમને 4 વર્ષ બાદ કાઢી મુકવામાં આવશે, વરિષ્ઠ ઓફિસરોએ કહ્યું કે અમને લાગે છે અગ્નિવીર યોજના અમારા તરફથી નહીં પરંતુ RSS તરફથી કરવામાં આવી છે અને તેને આર્મી પર થોપવામાં આવ્યું છે. તેમણે આગળ કહ્યું કે, આજે પગપાળા યાત્રા કરવાની પરંપરા પૂર્ણ થઈ ગઈ છે. શરૂઆતમાં ચાલતી વખતે અમે લોકોનો અવાજ સાંભળી રહ્યા હતા પરંતુ, અમારા દિલમાં એ પણ હતું કે, અમે પણ પોતાની વાત રજૂ કરીએ. અમે હજારો લોકો સાથે વાત સાંભળી, વૃદ્ધો સાથે અને મહિલાઓ સાથે વાત કરી. આ પ્રકારે યાત્રા અમારી સાથે વાત કરવા માંડી.
રાહુલ ગાંધીના ભાષણની મોટી વાતો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp