137 દિવસ બાદ રાહુલ ગાંધીની સંસદમાં વાપસી, લોકસભા સચિવાલયે જાહેર કરી અધિસૂચના

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાંસદ સભ્યતા ચાલુ થઈ ગઈ છે. લોકસભા સચિવાલય તરફથી તેને લઈને અધિસૂચના પણ જાહેર કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળેલી 2 વર્ષની સજા અને દોષસિદ્ધિને રદ્દ કરી દીધી હતી. તેની સાથે સંસદમાં વાપસીનો તેમનો રસ્તો સાફ થઈ ગયો હતો. રાહુલ ગાંધી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કેરળના વાયનાડથી ચૂંટણી જીત્યા હતા. મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને 23 માર્ચના રોજ નીચલી કોર્ટે 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

તેના આગામી દિવસે એટલે કે 24 માર્ચના રોજ તેમની સંસદ સભ્યતા રદ્દ થઈ ગઈ હતી. હવે 137 દિવસ બાદ તેમની સભ્યતા ચાલુ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધીની સભ્યતા ચાલુ કરવાનો નિર્ણય સ્વાગત યોગ્ય પગલું છે. તે ભારતના લોકો અને ખાસ કરીને વાયનાડના લોકો માટે રાહતવાળો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને મોદી સરકારે પોતાના કાર્યકાળનો જે પણ સમય બચ્યો છે તેનો ઉપયોગ વિપક્ષી નેતાઓને નિશાનો બનાવીને લોકતંત્રને બદનામ કરવાની જગ્યાએ વાસ્તવિક શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

તો રાહુલ ગાંધીની સંસદ સભ્યતા ચાલુ થવા પર સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, સ્પીકરે આજે નિર્ણય લીધો. અમે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું અને સુપ્રીમ કોર્ટનો આદેશ મળ્યાના તુરંત બાદ સભ્યતા ચાલુ કરી દેવામાં આવી. રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019ના રોજ ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, ‘નીરવ મોદી, લલીત મોદી, નરેન્દ્ર મોદીનું સરનેમ કોમન કેમ છે? બધા ચોરોના સરનેમ મોદી કેમ હોય છે?’

રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499 અને 500 હેઠળ ગુનાહિત માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. પોતાની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો એક રાહુલ ગાંધીએ વર્ષ 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતા આખા મોદી સમુદાયને કથિત રીતે એમ કહીને બદનામ કર્યો કે બધા ચોરોનું સરનેમ મોદી કેમ છે?

રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસમાં ચાર વર્ષ બાદ 23 માર્ચના રોજ સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને દોષી કરાર આપતા 2 વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટથી દોષી ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલય તરફથી સંસદ સભ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. જનપ્રતિનિધિ કાયદામાં પ્રવધાન છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેનાથી વધુની સજા હોય છે તો તેમની સભ્યતા (સંસદ અને વિધાનસભા) રદ્દ થઈ જાય છે. એટલું જ નહીં, સજાની અવધિ પૂરી કર્યા બાદ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય પણ થઈ જાય છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.