રાહુલ ગાંધી 3 એપ્રિલ સુરત આવશે, કોર્ટ જશે, જાણો કોંગ્રેસનો પ્લાન

‘મોદી સરનેમ’ કેસમાં દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ નિર્ણયને કોર્ટમાં પડકાર આપશે. રાહુલ ગાંધી સોમવારે સુરત સેશન કોર્ટમાં નિર્ણયને પડકાર આપતા અરજી દાખલ કરી શકે છે. સુરત કોર્ટ દ્વારા હાલમાં જ દોષી ઠેરવ્યા બાદ રાહુલ ગાંધીની સભ્યતા જતી રહી છે. કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની જેલની સજા અને 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટ દ્વારા દોષી ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલયે તેમની સાંસદ સભ્યતા રદ્દ કરી દીધી છે.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી અગાઉ કર્ણાટકના કોલારમાં એક રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. આ નિવેદન વિરુદ્ધ ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રિપોર્ટ્સ મુજબ, સેશન કોર્ટમાં અપીલના અવસર પર રાહુલ ગાંધી હાજર રહેવા માગે છે. ગુજરાત સહિત કોંગ્રેસના અન્ય મોટા નેતાઓને પહોંચવા કહી દેવામાં આવ્યું છે.

પાર્ટીના અધિકારીઓનું કહેવું છે કે, હાઇકોર્ટમાં અપીલ સહિત અન્ય વિકલ્પો પર પણ નિર્ણય થઈ શકે છે. સજાની જાહેરાત થયા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટર પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારું ભગવાન છે, અહિંસા તેને હાંસલ કરવાનું સાધન છે.’ કોર્ટના નિર્ણય પ્રત્યે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત પાર્ટીના ઘણા નેતાઓએ નારાજગી જાહેર કરી હતી.

ઓક્ટોબર 2021માં રાહુલ ગાંધી નિવેદન નોંધાવવા માટે કોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાને નિર્દોષ બતાવ્યા હતા. રાહુલ ગાંધી આ કેસમાં સુનાવણીમાં 3 વખત ઉપસ્થિત રહી ચૂક્યા હતા. રાહુલ ગાંધીની સભ્યતા જતી રહ્યા બાદ આખા દેશમાં કોંગ્રેસ પાર્ટીએ એક દિવસ સંકલ્પ સત્યાગ્રહ કર્યો હતો. તો રાહુલ ગાંધીને આવાસ ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. રાહુલ ગાંધીની સભ્યતા રદ્દ થયા બાદ કોંગ્રેસના તમામ નેતાઓએ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી રાખ્યો છે.

ભાજપે આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીની કાયદાકીય ટીમ કોર્ટના આદેશને પડકાર આપવાની જરૂરી ઉત્સુકતા ન દેખાડી કેમ કે પાર્ટી કર્ણાટક ચૂંટણી અગાઉ તેને અવસર બનાવવાનું લક્ષ્ય બનાવી રહી હતી. સવાલ ઉઠ્યા હતા કે કોંગ્રેસ નેતા પવન ખેડાની ધરપકડ પર તાત્કાલિક કાર્યવાહી થઈ, પરંતુ રાહુલ ગાંધીની સજા બાદ નહીં. તેના પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે, કાયદાકીય ટીમ તેના પર કામ કરી રહી છે. અમે જાણીએ છીએ કે, ક્યાં અને ક્યારે અપીલ કરવાની છે કેમ કે અમારી પાસે 30 દિવસનો સમય છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.