રાહુલ ગાંધી દેશ વિરોધી લોકોને અમેરિકામાં મળી રહ્યા છેઃ સ્મૃતિ ઇરાની

PC: newstrack.com

ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને રાહુલ ગાંધીની એવી તસ્વીરો હાથ લાગે છે ,જેમાં રાહુલ દેશ વિરોધી પ્રવૃતિઓ કરનારા સાથે બેઠક કરી રહ્યા છે. સ્મૃતિએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા.

રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મારી રાજકીય કારકિર્દીમાં મેં એવી કોઈ વ્યક્તિ જોઈ નથી કે જેને સત્તાનો આટલો મોહ હોય કે તે એવા લોકોને મળતો હોય કે જેઓ આપણા દેશની વ્યવસ્થાને ઉથલાવી નાખવાનો પ્રયાસ કરી રહ્યા ચૂક્યા હોય.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધી સામે ફરી પ્રહાર કર્યા છે. તેમણે રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત વખતે સુનીતા વિશ્વનાથ સાથેની મુલાકાત સામે સવાલ ઉભો કર્યો છે. સ્મૃતિએ કહ્યું કે, રાહુલ ગાંધી અમેરિકામાં મહિલા સુનીતા વિશ્વનાથને મળ્યા હતા. તે રાહુલ ગાંધી સાથે બેઠકમાં બેઠી છે. આ મહિલાને જ્યોર્જ સોરોસ દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે. માત્ર રાહુલ ગાંધી જ જણાવી શકે છે કે તેઓ તેમની સાથે શું વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જ્યોર્જ સોરોસ અને તેમના દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થાઓ નવી નથી પરંતુ જૂની છે.

અન્ય એક પ્રકાશનમાં ખુલાસો થયો છે કે સલિલ સેઠી નામના સજ્જન, જેઓ ઓપન સોસાયટીના ગ્લોબલ અધ્યક્ષ છે, તેઓ જ્યોર્જ સોરોસના ફાઉન્ડેશન સાથે છે અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ હતા. ભાજપે અગાઉ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો કે જ્યોર્જ સોરોસ ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને કેવી રીતે હટાવવા માંગે છે.

સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે જ્યારે જ્યોર્જ સોરેસના ઇરાદા વિશે આખું હિંદુસ્તાન જાણે છે, તો એવી તો શું મજબુરી હતી કે રાહુલ ગાંધીઅ સોરેસની એક સહયોગી, તેમની સમર્થક સાથે અમેરિકા જઇને મીટિંગ કરવી પડી? તેમણે કહ્યું કે તે સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ છે કે 4 જૂને ન્યૂયોર્કમાં રાહુલ ગાંધીની બેઠકમાં સંદર્ભ માટે જે વ્યક્તિનો નામ અને નંબર આપવામાં આવ્યો હતો. તે વ્યક્તિ અંસારીના સંબંધો ઉત્તર અમેરિકાના ઈસ્લામિક સર્કલ સાથે મળી આવ્યા હતા. આ સંગઠનને લઈને 28 ફેબ્રુઆરીએ અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે અંસારી જમાત-ઈસ્લામી સાથે સંબંધિત છે. તો એવું કેમ છે કે જે લોકો જમાત-એ-ઈસ્લામી સાથે સંબંધિત છે તેનો કોંગ્રેસે સહારો લેવો પડે છે?

મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે, હું ભાજપમાં છું એટલે નથી પુછી રહી, બલ્કે હું દેશના દરેક નાગરિકને પુછવા માંગું છું કે રાહુલ ગાંધી બહારની તાકાતો સાથે મળીને શું સંદેશો આપવા માંગે છે? જ્યોર્જ સોરેસ જાહેરમાં એવું કહે છે કે તે ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી દેવા માંગે છે. તો આવા સંગઠન અને એની સાથે જોડાયેલી વ્યકિતઓ સાથે ગાંધી ખાનદાન પોતાના સંબંધો કેમ મજબુત કરી રહ્યું છે?

સ્મૃતિએ આગળ કહ્યું કે, કોંગ્રેસ હવે એવું ન કહી શકે આ વાતને મુદ્દો કેમ બનાવવામાં આવી રહ્યો છે. કારણકે, તમે એવા વ્યકિતઓને મળ્યા છો અને પછી એવું ઇચ્છો કે મુદ્દો જ ન બને તો એવું શક્ય નથી.

રાહુલ ગાંધી તાજેતરમાં અમેરિકાની મુલાકાત ગયા હતા ત્યારે તેમણે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. એ દરમિયાન તેમણે એક બેઠક પણ કરી હતી. આ બેઠકની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી, જેમાં રાહુલ ગાંધીની બાજુમાં સોશિયલ એક્ટવીસ્ટ સુનીતા વિશ્વનાથ બેઠેલી દેખાઇ રહી છે.

સુનીતા વિશ્વનાથ  હિંદુ ફોર હ્યુમન રાઇટ્સ નામની સંસ્થાની સહ સ્થાપક છે અને ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સીલ (IAMC) જેવા કટ્ટર સંગઠનો સાથે અનેક કાર્યક્મો કરે છે. આ સંગઠન પશ્ચિમમાં વ્યાપક જમાત ISIની સાંઠગાંઠનો હિસ્સો છે અને ભારતમાં સામાજિક ઉથલ-પાથલને પ્રોત્સાહન આપે છે.

 જ્યોર્જ સોરેસે કહ્યું હતું કે, ગૌતમ અદાણી અને PMના નજીકના સંબધો છે, અદાણીએ શેરબજારમાં ભંડોળ ઊભું કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયા અદાણી પર સ્ટોક મેનીપ્યુલેશનનો આરોપ છે, તેમના શેરો પત્તાના ઘરની જેમ તુટી પડ્યા આનાથી સંઘીય સરકાર પર મોદીની પકડ ઢીલી થશે અને ખૂબ જ જરૂરી સંસ્થાકીય સુધારાઓ તરફ આગળ વધવાનો દરવાજો ખુલશે. સોરોસે કહ્યું કે મને આશા છે કે ભારતમાં લોકતાંત્રિક પરિવર્તન આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp