રાહુલ ગાંધીને પ્રધાનમંત્રીનો ચહેરો ન બનાવવા જોઇએ, શશિ થરુરે જણાવ્યું કારણ

કોંગ્રેસ સાંસદ શશિ થુરરે કહ્યું કે INDIA ગઠબંધન માટે આગામી લોકસભા ચૂંટણીમાં કોઇને પણ પ્રધાનમંત્રી પદના ઉમેદવારને ઉતારવો યોગ્ય રહેશે. ચૂંટણી ચહેરા પર નહીં, પરંતુ મુદ્દા પર લડાવવી જોઇએ. તેમણે કહ્યુ કે મારું માનવું છે કે ગઠબંધન ચૂંટણી પછી જ એનો વિચાર કરે કે પ્રધાનમંત્રી કોણે બનવું જોઇએ. એટલા માટે મારું માનવું છે કે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ન બનાવવા જોઇએ.

થરૂરે પત્રકારોને જણાવ્યું હતું કે, INDIA મોર્ચો ઝડપથી આગળ વધી રહ્યો છે અને ઉભરી રહ્યો છે. આ સાથે જ શશિ થરૂરે કેન્દ્ર સરકાર પર સરહદ પર ચીનની આક્રમકતા રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર પર આકરા પ્રહારો કરતા થરૂરે કહ્યું કે જ્યાં સુધી એવું કહીને લોકોને છેતરવાનું બંધ નહીં કરે કે ચીને કશું કર્યું નથી અને કોઈ ફેરફાર થયો નથી. તો દેશે મોટું નુકશાન વેઠવું પડી શકે છે અને ચીનના હાથે આપણો મહત્ત્વનો વિસ્તાર ગુમાવવો પડી શકે છે.

તાજેતરમાં જ CWCના સભ્ય બનેલા થરૂરે કહ્યું, જ્યાં પણ પક્ષને ઉપયોગી જણાય. હું સમિતિની અંદર અને બહાર યોગદાન આપવા માટે ઉત્સુક છું. અમારા માટે હવે, મને લાગે છે કે તાત્કાલિક ફોકસ, તાત્કાલિક પ્રાથમિકતા 2024ની ચૂંટણીઓ અથવા કદાચ તેનાથી પણ પહેલા હોવી જોઈએ.

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કહ્યું, અમને ખબર નથી કે કેટલાક લોકોના સૂચન મુજબ વહેલી ચૂંટણી થઈ શકે છે કે કેમ. પરંતુ ગમે તે થાય, આપણે ભારતના લોકોનો સામનો કરવા અને તેમના માટે સત્તા પરત લેવા માટે તૈયાર રહેવું પડશે. તેમણે ઘણા સમાન વિચારધારા ધરાવતા નેતાઓના સમર્થનથી AICC પ્રમુખની ચૂંટણી લડી હતી. હું દૃઢપણે માનું છું કે ચૂંટણી દરમિયાન મને મળેલા તમામ સમર્થનને કારણે હું CWC સભ્ય બન્યો છું.

વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવ પર શશિ થરુરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે, એવી કોઇ વ્યવહારિક રીત નથી જેનાથી આવી પ્રણાલી લાગૂ પડી શકે. તેમણે આગળ કહ્યું કે વન નેશનલ વન ઇલેકશન એ સંસદીય લોકતંત્ર પર આધારિત હાલની પરંપરાની વિરુદ્ધ હશે, જ્યાં સદનમાં બહુમતી ગુમાવ્યા પછી પાર્ટીઓ સત્તામાં બની રહી શકતી નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.