AAP નેતાએ પણ રામચરિતમાનસને ગણાવ્યું દલિત વિરોધી, ચંદ્રશેખરનું કર્યું સમર્થન

રામ-કૃષ્ણની પૂજા ન કરવાની શપથ અપાવવાના કારણે મંત્રીની ખુરશી ગુમાવી ચૂકેલા આમ આદમી પાર્ટી (AAP) નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે હવે રામચરિતમાનસને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રામચરિતમાનસને નફરતી ગ્રંથ બતાવનારા બિહારના મંત્રી ચંદ્રશેખરનું સમર્થન કર્યું છે. આમ આદમી પાર્ટીના નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જો કે, અમે આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતા નથી. વીડિયોમાં રાજેન્દ્ર પાલ ગૌતમ કહે છે કે, ચંદ્રશેખરે જે કહ્યું, તેમાં ખોટું નથી.

તેમણે કહ્યું કે, મનુસ્મૃતિ અને રામચરિતમાનસમાં જે શબ્દ લખ્યા છે તે સ્ત્રી અને દલિત વિરોધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો રાજસ્થાનના અજમેરમાં થયેલા એક કાર્યક્રમનો છે. વાયરલ વીડિયોમાં રાજેન્દ્ર પાલ ગૌતમ કહે છે કે, ઘણી બધી ટી.વી. ચેનલો પર ડિબેટ ચાલી રહી છે. તેઓ કહી રહ્યા હતા કે બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરજીએ જે મનુસ્મૃતિને લઇને, રામચરિતમાનસને લઇને જે પોતાના ઉદ્દગાર વ્યક્ત કર્યા, આ કારણે આખા દેશની મીડિયા પાછળ પડી ગઇ છે.

તેમણે આગળ કહ્યું કે, હું પૂછવા માગું છું કે ડૉ. ચંદ્રશેખરે ખોટું શું કહ્યું? પોતાની મરજીથી શું કહ્યું? જે મનુસ્મૃતિમાં લખ્યું છે, રામચરિતમાનસમાં લખ્યું છે, તેમણે એમ જ તો કહ્યું કે જે લખ્યું છે તે ખોટું છે. તે સ્ત્રી વિરોધી છે. શું આપણે બધાએ ડૉ. ચંદ્રશેખર સાથે ઊભા ન થવું જોઇએ? શું દેશની અંદર સમતાવાદી અને માનવતા પસંદ લોકોએ આંખ બંધ કરીને અંધ લોકોનું અનુકરણ કરવું જોઇએ? શું રામચરિતમાનસમાં લખ્યું નથી કે કિઢોલ અભણ શુદ્ર પશુ નારી, આ બધુ તાડના અધિકારી, તેઓ વ્યાખ્યા કરી રહ્યા છે કે તાડનાનો અર્થ છે જોવું.

ત્યારે તેમાં ક્લિયર તાડનાનો અર્થ મારવાનું અને જો જોવાનો અર્થ છે તો શું નારીને ઘૂરવી જોઇએ. શું મારવી જોઇએ? તમારા ધર્મ શાસ્ત્ર અમને માણસનો દરજ્જો આપવા તૈયાર નથી. તમારી આસ્થા છે. તમે તો કહી રહ્યા છો કે અમારી આસ્થાને ઠેસ પહોંચી રહી છે. અમારી તો બહેન દીકરીઓની રોજ ઇજ્જત લૂંટાઇ રહી છે, અમારા યુવાનોને મારવામાં આવી રહ્યા છે. વસ્તીઓ સળગાવવામાં આવી રહી છે.

તો ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, રામચરિતમાનસ બકવાસ છે, તેના કેટલાક હિસ્સાને બેન કરી દેવો જોઇએ. તેમનું કહેવું છે કે તેનાથી પછાત, દલિત વર્ગોની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. એક ટી.વી. ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ, પરંતુ જો ધર્મના નામ પર કોઇ વર્ગને અપમાનિત કરવા માટે કંઇક કહેવામાં આવે છે તો તે આપત્તિજનક છે.

રામચરિતમાનસના કેટલાક અંશ છે જેના પર મને આપત્તિ હતી અને આજે ફરી કહી રહ્યો છું. કોઇ પણ ધર્મમાં કોઇને ગાળો આપવાનો અધિકાર નથી. તુલસીદાસના રામચરિતમાનસમાં એક ચોપાઇ છે જે બરનધમ તેલી કુમ્હારા, સ્વપચ કિરાત કોલ કલવારા, તે સીધી રીતે જાતિનું નામ લઇને અધમ જાતિનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.   

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.