પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા પછી વડોદરા ભાજપના બીજા મોટા નેતાનું રાજીનામું

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રીના રાજીનામાં બાદ આજે વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. લોકસભાની ચૂંટણી પહેલા આ ત્રીજી વિકેટ પડી જતા અનેક તર્ક વિર્તકો શરૂ થયા છે. 4 મહિના પહેલા વડોદરા ભાજપના નેતા ભાર્ગવ ભટ્ટે પણ રાજીનામું આપ્યું હતું.

વડોદરાના મેયર રહી ચૂકેલા અને છેલ્લે શહેર ભાજપના મહામંત્રી પદે રહેલા સુનિલ સોલંકીએ રાજીનામું આપી દીધું છે. સુનિલ સોલંકીએ મીડિયા સાથે જે વાત કરી છે તે આશ્ચર્ય ઉપજાવનારી છે. સુનિલ સોલંકીએ કહ્યું કે, મેં તો એક સપ્તાહ પહેલાં જ રાજીનામું આપી દીધું છે અને પ્રદેશ પ્રમુખ સાથે આ બાબતે ચર્ચા પણ થઇ ગઇ છે. તેમણે કહ્યુ કે, મેં અંગત કારણોસર મારું રાજીનામું આપ્યું છે. હું હમેંશા પાર્ટીનો વફાદાર કાર્યકર રહીશ. ભાજપે મને વડોદરાના મેયર તરીકે અને મહામંત્રી તરીકેની જવાબદારી સોંપી હતી. હજુ પણ હું પાર્ટી માટે કામ કરતો રહીશ.

રાજકારણના જાણકારો પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાત વિધાનસભા 2022માં ભાજપને 156 સીટ જીતાડનાર ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના વધી રહેલા કદને વેતરવાનો કારસો રચાઇ રહ્યો છે, જેને કારણે ભાજપમાં જૂથવાદ હવે સામે આવી રહ્યો છે. સી આર પાટીલના નજીકના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ બાબતના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, તાજેતરમાં વડોદારના મેયર વિરુદ્ધ નનામી પત્રિકા બહાર પાડનાર ભાજપના કોર્પોરેટર અલ્પેશ લિમ્બાચિયા સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી, જેને કારણે ભાજપની ઇમેજને નુકશાન પહોંચ્યું હતું. સાથે સાથે મહામંત્રી સુનિલ સોંલકી સામે વડોદરાના એક ધારાસભ્ય વારંવાર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ફરિયાદો કરતા રહ્યા હતા. જો કે, બીજી તરફ એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે  રાજીનામું આપ્યા પછી સુનિલ સોંલકીને પ્રદેશ કક્ષાએ કોઇ મહત્ત્વની જવાબદારી મળી શકે છે.

કારણ ગમે તે હોય શકે છે, પરંતુ લોકસભા 2024ની ચૂંટણી પહેલાં જે રીતે ગુજરાત રાજકારણમાં સમીકરણો બદલાઇ રહ્યા છે તેને કારણે ભાજપની છબિને મોટું નુકશાન પહોંચી રહ્યું છે. સુરત, વડોદરા અને અમદાવાદમા ચાલી રહેલા પત્રિકા વોરમાં બેફામ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ પ્રદિપસિંહ વાઘેલાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, હું માત્ર મારી જવાબદારીમાંથી મૂક્ત થયો છુ, હજુ પણ હું પાર્ટીનો કમિટેડ કાર્યકર છું અને કમલમમાં આજે પણ જઇશ અને કાલે પણ જઇશ, કારણકે, કમલમ એ મારું બીજું ઘર છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.