સચિન પાયલટ BJPમાં થશે સામેલ કે બનાવશે નવી પાર્ટી? સરવેમાં ચોંકાવનારા પરિણામ

શું સચિન પાયલટ કોંગ્રેસ પાર્ટી સામે બળવો કરશે? સચિન પાયલટ નવી પાર્ટી બનશે? કે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે હાથ મળાવી લેશે? આ બધા સવાલ રાજસ્થાનની રાજનીતિમાં રસ ધરાવતા લોકોના મનમાં શરૂ થઈ ગયા છે. રાજસ્થાનમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચેની દીવાલ રોજબરોજ વધતી જઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે સચિન પાયલટ પોતાના પિતાની પુણ્યતિથિના દિવસે કેટલીક મોટી જાહેરાત કરી શકે છે. એવામાં એક સરવેમાં ચોંકાવનારા પરિણામ સામેલ આવ્યા છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે સરવે શું કહે છે.

એક ન્યૂઝ ચેનલ માટે C વૉટરે સર્વે કર્યું છે. સરવેમાં સચિન પાયલટને લઈને રાજસ્થાનના લોકોને 2 સવાલ પૂછવામાં આવ્યા હતા. પહેલો સવાલ કે, શું સચિન પાયલટ નવી પાર્ટી બનાવશે? અને બીજો સવાલ એ કે, શું પાયલટ ભાજપમાં સામેલ થશે? આ બંને સવાલો પર 3 અલગ અલગ પ્રકારના લોકો પાસેથી જવાબ માગવામાં આવ્યા. પહેલા તેમને જે ભાજપના સમર્થક છે, બીજા જે કોંગ્રેસ સમર્થક છે અને ત્રીજા રાજસ્થાનના સામાન્ય લોકોને.

આ સવાલ પર જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. કોંગ્રેસ સમર્થકોમાંથી 14 ટકા લોકોએ કહ્યું કે, સચિન પાયલટ ભાજપમાં સામેલ થશે. તો ભાજપ સમર્થકોમાંથી લગભગ 48 ટકાએ એમ માન્યું કે, સચિન પાયલટ ભગવો ધારણ કરશે. રાજસ્થાનની સામાન્ય જનતામાંથી પણ 35 ટકા લોકોએ એમ કહ્યું કે, સચિન પાયલટ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ જશે. શું સચિન પાલયટ નવી પાર્ટી બનાવશે? આ સવાલ પર 20 ટકા રાજસ્થાનના સામાન્ય લોકોએ કહ્યું કે, હા, સચિન પાયલટ નવી પાર્ટી બનાવશે.

તો 22 ટકા ભાજપના સમર્થકોએ આ વાત માટે હકારમાં જવાબ આપ્યો. હેરાન કરનારી વાત એ છે કે લગભગ 17 ટકા કોંગ્રેસે સપોર્ટરોએ પણ કહ્યું કે, સચિન પાયલટ નવી પાર્ટી બનાવવાના છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની ખાઈ વધતી જ જઈ રહી છે. બંને દિગ્ગજ નેતાઓના મન મેળ કરાવવા માટે કોંગ્રેસ હાઇકમાન ઘણી વખત પ્રયાસ કરી ચૂક્યું છે. પાયલટ, મુખ્યમંત્રી અશોક ગેહલોતને સવાલ પૂછતા અનશન પર પણ બેસી ગયા હતા. તેમણે સરકાર વિરુદ્ધ એક યાત્રા પણ કાઢી હતી. ચૂંટણીમાં બંને નેતાઓ વચ્ચેની આ નારાજગી ક્યાંક નુકસાન ન પહોંચાડી દે એટલે ગત દિવસોમાં દિલ્હીમાં એક મહત્ત્વની બેઠક પણ થઈ હતી.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.